Posts

Showing posts from March, 2022

પ્રભાસક્ષેત્ર ખાતેથી શ્રી કૃષ્ણભગવાને વૈકુઠગમન કર્યું, તે દિવસે પ્રભાસક્ષેત્રમાં પ્રભાસોત્સવ અને ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી થશે

Image
પ્રભાસક્ષેત્ર ખાતેથી શ્રી કૃષ્ણભગવાને વૈકુઠગમન કર્યું, તે દિવસે પ્રભાસક્ષેત્રમાં પ્રભાસોત્સવ અને ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી થશે   પ્રભાસક્ષેત્ર ખાતેથી શ્રી કૃષ્ણભગવાને વૈકુઠગમન કર્યું, તે દિવસે પ્રભાસક્ષેત્રમાં પ્રભાસોત્સવ અને ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી થશે.. પ્રભાસોત્સવઃ            તા. 01/04/2022  ના સાંજે 7-30 થી  “પ્રભાસોત્સવ” કાર્યક્રમ સંસ્કાર ભારતી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ ખાતે  ઉજવાશે, કલાસાધકો સંગીત-નૃત્ય-ગાયન ના ત્રિવેણી સંગમ સાથે સુરઆરાધના કરશે, જેમાં વિવિધ વૃંદો દ્વારા શિવ સ્તુતી નૃત્ય વિગેરેની પ્રસ્તુતી રજુ કરશે.  આ કાર્યક્રમ તા.02/04/2022 ના પ્રતિપદાના સુર્યોદય સુધી અવિરત શરૂ રહેશે, આ પાવન દિવસે સુર્યના પ્રથમ કિરણો શ્રી સોમનાથ તીર્થધામ માં પડતાની સાથે જ કાર્યક્રમ સ્થળે સુર્યદેવના સુરોથી વધામણા કરવામાં આવશે.   ગોલોકધામ દિન           ગોલોકધામ ખાતે તા.02/04/2022 ના વિશેષ પૂજામાં વિગ્રહ પૂજન, વિષ્ણુયાગ, પાદુકાપૂજન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રાતઃ  કાલે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ગોલોકધામ તીર્થમાં ધ્વજા રોહણથી ઉત્સવની શ

ભરૂચ-નર્મદા જિલ્લાનાં ભાજપના પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા

Image
ભરૂચ-નર્મદા જિલ્લાનાં ભાજપના પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા  દત્તક લીધા ભરૂચના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને જિલ્લા ભાજપના પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા  રોજનું 1060 લિટર, 90 દિમાં 95,400 લિટર દૂધ અપાશે રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા  રાજપીપલા: ભરૂચ અને નર્મદા જિલ્લામા 5302કુપોષિત બાળકોને શોધી કાઢવામા આવ્યા છે. જેમને દત્તક લઈને કુપોષિત બાળકોને પોષિત કરવાના સંકલ્પ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના BJP પ્રમુખોએ બીડું ઝડપી નવી પહેલ કરી છે.    ભરૂચ અને નર્મદા જિલ્લાના BJP પ્રમુખોએ ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં બન્ને જિલ્લાના 5302 કુપોષિત બાળકોને દત્તક લીધા છે. આ સૌપ્રથમ પહેલ સાથે સી. આર.પાટીલના હસ્તે કુપોષણદૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે.જેમાં ભરૂચ ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને નર્મદા bjp પ્રમુખ ઘનશ્યામ પટેલે રાજ્યમાંનવી પહેલ કરી છે.   બન્ને પ્રમુખોની આ કામગીરીથી પ્રદેશ પ્રમુખ CR પાટીલ પ્રભાવિત થયાં છે અને અભિનંદન પાઠવ્યા હતા.    ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં CR પાટીલે ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી બન્ને જિલ્લા પ્રમુખની હાજરીમા

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા આત્મનિર્ભર ભારત ઓપોરચયુનીટીસ ઈન સ્ટાર્ટ અપ એન્ડ એમ.એસ.એમ.ઈ. નો કાર્યક્રમ યોજાયો

Image
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા આત્મનિર્ભર ભારત ઓપોરચયુનીટીસ ઈન સ્ટાર્ટ અપ એન્ડ એમ.એસ.એમ.ઈ. નો કાર્યક્રમ યોજાયો ✍️ નરેન્દ્રભાઈ દવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ના ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી વિભાગ હસ્તકનાં  ઈનકયુબેશન સેન્ટર ઓન પ્રીસીઝન ફાર્મ મિકેનાઈઝેશન તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ  એન્ડ ઇનોવેશન પોલીસી સેલ (એસ. એસ. આઈ. પી. એસ.) ના સંયુક્ત ઉપક્રમે નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ (આઈસીએઆર) અંતર્ગત આત્મનિર્ભર ભારત ઓપોરચયુનીટીઝ ઈન સ્ટાર્ટ અપ એન્ડ એમ.એસ.એમ.ઈ વિષય ઉપર એક દિવસીય કાર્યક્રમનું તારીખ ૨૮-૩-૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના યુજી / પીજી વિદ્યાર્થીઓમાં ફાર્મ મીકેનાઈઝેશન ક્ષેત્રે એન્ટરપ્રીન્યુરશીપની સ્કીલ કેળવી અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા આત્મનિર્ભર બનાવવાનો હતો. જેને અનુરૂપ આ વિદ્યાશાખાના ૩૨૧ વિધાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપેલ તેમજ ૫૨૬ વિધાર્થીઓએ ઓનલાઇન વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્સાહપૂર્વક હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવેલ.   આ કાર

નર્મદામા બીજા દિવસની હડતાલની માઠી અસર

Image
નર્મદામા બીજા દિવસની હડતાલની માઠી અસર 450 જેટલા આરોગ્ય કર્મચારીઓની હડતાલથી વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ   જિલ્લા   વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું વેક્સિનેશનના સર્ટિફિકેટ મેળવવા પણ પડી મુશ્કેલી તસવીર - રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપળા  રાજપીપલા: દેશના જુદા જુદા ટ્રેડ યુનિયનો દ્વારા દેશભરમાં ૪૮ કલાક માટે રાષ્ટ્રવ્યાપી બંધના એલાનની અસર નર્મદા જિલ્લામાં પણ જોવા મળી હતી.જેમાં બેંકો, પોસ્ટ ઓફિસ, અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલમાં જોડાઇ જતાં તેમની કામગીરી ખોરવાઇ ગઇ હતી.   ખાસ કરીને નર્મદા જિલ્લા આરોગ્ય સંઘ દ્વારા 450 જેટલા આરોગ્ય કર્મચારીઓ પણ હડતાલમાં જોડાઇ જતા, આરોગ્ય વિભાગની કામગીરી ખોરવાઈ ગઈ હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ખાસ કરીને 450 જેટલા આરોગ્ય કર્મચારીઓની હડતાલથી વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ જવા પામી હતી. તેમજ વેક્સિનેશનના સર્ટિફિકેટ મેળવવા પણ મુશ્કેલી હતી.   આ અંગે આરોગ્ય કર્મચારી મહાસંધ નર્મદાના પ્રમુખ મિતેશભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનના કાર્યક્રમોમા જોડાયા હતાં.અગાઉના ત્રણ ત્ર

માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા એવી અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસા (જિ.ભરૂચ) ખાતે CSR ફંડમાંથી નવનિર્મિત વિવિધ પ્રોજેક્ટ નું જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા મહાનુભાવોના વરદહસ્તે થયેલું લોકાર્પણ

Image
માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા એવી અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસા (જિ.ભરૂચ)  ખાતે   CSR  ફંડમાંથી નવનિર્મિત વિવિધ પ્રોજેક્ટ નું જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા મહાનુભાવોના વરદહસ્તે થયેલું લોકાર્પણ બાળકોમાં નાનપણથી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર, તંદુરસ્તી અને શિક્ષણ મળે તેવા સંસ્થાના પ્રયાસોને મંત્રી તથા મહાનુભાવો દ્વારા બિરદાવાયા. સુકન્યા સમૃધ્ધ યોજના અંતર્ગત દિકરીઓના વાલીને મંત્રી, ધારાસભ્ય તથા મહાનુભાવોના હસ્તે પોસ્ટની પાસબુક અર્પણ વિવિધ કંપનીઓના સહયોગથી તેઓના સીએસઆર ફંડમાંથી ગુરુકુલમ, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, એજ્યુકેશન હોલ, કોમ્પ્યુટર કલાસીસ, બિલ્ડીંગ કલર, ૧૦કેડબલ્યુ સોલાર પ્લાન્ટ, રેઇન વોટર હોર્વેસ્ટીંગ, દાંતનું ફરતું દવાખાનાનું થયેલુ  લોકાર્પણ દિવ્યાંગ બાળકો સમાજના તમામ વર્ગો સાથે મળીને સંકોચ વગર જીવી શકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત ચિંતિત-:મંત્રી પૂર્ણેશ મોદી ✍️ મનિષ કંસારા ભરૂચ: માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા એવી અસ્મિતા વિકાસ કેન્દ્ર -ત્રાલસા (જિ.ભરૂચ) ખાતે CSR  ફંડમાંથી નવનિર્મિત વિવિધ પ

નર્મદા જીલ્લામા દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર પોલીસની રેડથી બુટલેગરોમા દોડધામ

Image
નર્મદા જીલ્લામા  દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર પોલીસની રેડથી બુટલેગરોમા દોડધામ દેશી દારૂના મુદ્દામાલ સહીત કુલ-૦૮ આરોપીઓ ઝડપાયા તસવીર-રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા  રાજપીપલા: નર્મદા જીલ્લામા ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓને નેસ્તનાબુદ કરવા અલગ-અલગ જગ્યાએ રેડ કરી હતી. જેમાં પોલીસની રેડથી બુટલેગરોમાં દોડધામ મચી જવા પામી હતી. ત્રણ ઠેકાણે ચાલુ ભઠ્ઠી પકડી સ્થળ પર દેશી દારૂ ઝડપી તેનો નાશ કર્યો હતો..જેમાં દેશી દારૂના મુદ્દામાલ સહીત કુલ-૦૮ આરોપીઓ ઝડપાયા હતા.    નર્મદામા દારૂની બદી નેસ્તનાબુદ કરવાના ઇરાદે અલગ-અલગ જગ્યાએથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓના કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.   હિમકર સિંહ-પોલીસ અધિક્ષક, નર્મદાની સુચના હેઠળ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિબિશન ની બદીને નેસ્તનાબુદ કરવા સારૂ  એક પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જે સમગ્ર નર્મદા જીલ્લાની પ્રોહિબિશન ડ્રાઈવ માં પ્રોહિબિશનના-૨૪ કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ-૦૮ આરોપીઓને પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ ૧૩૩ લીટર, કિંમત રૂપિયા ૨,૦૦૦/- તથા વોશ ૧૫૨૪૦ લીટર, કિંમત રૂપિય

ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન

Image
ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી  ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન ✍️ મનિષ કંસારા ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવુત્તિ ચલાવતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગભાઈ દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ બાતમી આધારે મોજે મહાદેવનગર જ્યોતિનગર ખાતેથી પ્રતિબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ/ટીન કુલ્લે બોટલ નંગ-૧૬૦ કિંમત રૂપિયા ૨૬,૦૦૦/- તથા એક ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૨,૨૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ચાલુ છે.  પકડાયેલ આરોપી: રૂષભ શ્યામુભાઈ વસાવા રહેવાસી-બી/૪૮ શ્રીનગર સોસાયટી તુલસીધામ પાસે ભોલાવ ભરૂચ  વોન્ટેડ આરોપી: ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલ રહેવાસી-મહાદેવ નગર જ્યોતિનગર ભરૂચ  કબ્જે કરેલ મુદ્દામાલ: પ્રતિબંધીત ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ/ટીન નંગ-૧૬૦ મળી કુલ્લે કિંમત રૂપિયા ૨૬,

ભરૂચ ફુરજા રોડની બાદશાહી મસ્જીદ પાસેથી આંક ફરક સટ્ટાબેટિંગનો જુગાર રમતા ઈસમોને ઝડપી પાડતી ભરૂચ શહેર 'બી' ડિવિઝન પોલીસ

Image
ભરૂચ ફુરજા રોડની બાદશાહી મસ્જીદ પાસેથી આંક ફરક સટ્ટાબેટિંગનો જુગાર રમતા  ઈસમોને ઝડપી પાડતી  ભરૂચ શહેર 'બી' ડિવિઝન પોલીસ ✍️ મનિષ કંસારા ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ઇન્ચાર્જ ના. પો.અધિ. ચિરાગભાઈ દેસાઈ ભરૂચ વિભાગ ભરૂચ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.ઇન્સ. એ. બી. ચૌધરી નાઓને મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ ફુરજા રોડની બાદશાહી મસ્જીદ પાસેથી આંક ફરક સટ્ટાબેટિંગનો જુગાર રમી રમાડતા બે આરોપીઓને રોકડા રૂપિયા તથા મોબાઇલ નંગ-૦૨ મળી કુલ કિં.રૂા.૨૬,૧૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.  પકડાયેલ આરોપીઓ: (૧) મોહમદ સલીમભાઈ ઇબ્રાહીમભાઈ મલેક રહે.મ.નં.-૨૦૦૩, પારસીવાડ, વેજલપુર, ભરૂચ (૨) મોહંમદ શોયેબ મોહંમદ હનીફ કુરેશી ઉં.વ.૩૫ રહે.- મ.નં.-૨૫૮૬, ભઠીયારવાડ, ભરૂચ   કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) આરોપીઓની અંગ ઝડતી રોકડા રૂપિયા-૨૦,૧૯૦૬ (૨) મોબાઇલ નંગ-૦૨ કિંમત રૂપિયા-૬૦૦૦/- (૩) પોકેટ ડાયરી નંગ-૦૧ તથા બોલપેન નંગ-૦૧ કિં.રૂ.૦૦/- કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા-૨૬,૧૯૦/-   કામગી

વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર ના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Image
વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર ના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી   ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ✍️ મનિષ કંસારા  ભરૂચ: ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ નાબુદ કરવા સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.    જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે. દરમ્યાન આજરોજ તા.૨૬/૦૩/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા બુટલેગરે પોતાના ઘરે ગેરકાયદેસરનો દારૂનો જથ્થો લાવેલ છે અને ચોરી છુપીથી વેચાણ કરી રહેલ છે જે મળેલ હકીકત આધારે

નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના ૧૯,૯૦૪ બાળકોને કાર્બેવેક્સ વેક્સીનની રસી અપાઇ : ૯૫ ટકાથી પણ વધુ વેક્સીનેશનની કામગીરી પૂર્ણ

Image
નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના ૧૯,૯૦૪  બાળકોને  કાર્બેવેક્સ વેક્સીનની રસી અપાઇ ૯૫ ટકાથી પણ વધુ વેક્સીનેશનની કામગીરી પૂર્ણ તસવીર - રિપોર્ટ :  દીપક જગતાપ, રાજપીપલા                રાજપીપલા: ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોને કોરોના વેકસીનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાના અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર ડી. એ. શાહ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના વિવિધ સેન્ટરો મારફતે તા.૧૬ મી માર્ચ થી તા.૨૫ મી માર્ચ,૨૦૨૨ સુધી બપોરે ૩:૩૦ કલાક સુધીમાં ૧૯,૯૦૪ જેટલા બાળકો કાર્બેવેક્સ વેક્સિન રસી લઇને સુરક્ષિત બન્યાં છે.     અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે,  ૧૨ થી ૧૪ વર્ષની વયના મોટાભાગના બાળકોએ કાર્બેવેક્સ વેકસીની રસી લીધી છે તેમજ વિદ્યાર્થીઓના વાલીઓનો પણ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હોવાથી  જિલ્લામાં અંદાજે ૯૫ ટકાથી પણ વધુ વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઇ હોવાનું  જાણાવ્યું હતું.    રાજપીપલાની કલરવ પ્રાથમિક શાળાના ધો-૭ ના વિદ્યાર્થી માહીરભાઈ રાકેશભાઈ પટેલે  પ્રતિભાવ આપતાં કહ્યું કે, મે મારી શાળામાં જ કોરોનાની વેક્સિન લીધી છે. મને કોઇપણ પ્રક

તિલકવાડાના શીરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા હોબાળો

Image
તિલકવાડાના શીરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા હોબાળો    ઉગ્ર વિરોધ દર્શાવી તિલકવાડા મામલતદારને ગ્રામજનોની રજૂઆત તસવીર - રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપલા  રાજપીપળા: પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના શીરા ખાતે સસ્તા અનાજની દુકાન આવેલી છે. જે દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દર વખતે અનાજ ઓછું આપતા હોવાની અને દુકાન સંચાલક દ્વારા ગ્રાહકો સાથે ખોટું વર્તન કરતા હોવાની પણ ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગે ગ્રાહકોએ ઉગ્ર વિરોધ નોંધાવી તિલકવાડા મામલતદાર આર. જે. ચૌહાણ ને લેખિતમાં રજૂઆત કરી દુકાન સંચાલક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.   અત્રે ઉલ્લેખનીય છે કે શીરા ગામેઆવેલ સસ્તા અનાજની દુકાનમાં ગોધામ અને આસ પાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અનાજ લેવા માટે જતા હોય છે. હાલ સરકાર તરફથી ગરીબ પ્રજાને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે સસ્તા ભાવે ઘઉં અને ચોખાની ખાદ્ય વસ્તુઓ આપવામાંઆવે છે.     ગોધામ ગામના શનાભાઈ વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું અમે ગોધામ ગામના રહેવાસી છીએ. અમારા શીરા ગામે સસ્તા અનાજની દુકાન આવેલી

નર્મદામા કોરોનાનું સંકટ ટળ્યા પછી ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાનો તા.૨૮ માર્ચથી પ્રારંભ

Image
નર્મદામા કોરોનાનું સંકટ ટળ્યા પછી  ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાનો તા.૨૮ માર્ચથી પ્રારંભ  નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે :  જિલ્લા પ્રશાસન દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ તસ્વીર રિપોર્ટ:: દીપક જગતાપ, રાજપીપલા   રાજપીપલા: નર્મદા જિલ્લામા કોરોનાનું સંકટ ટળ્યા પછી પહેલી વાર જાહેર બોર્ડની પરીક્ષા આપવા  ધોરણ- ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ સજ્જ બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પરીક્ષા માટે સજ્જ બન્યું છે.    આગામી તા.૨૮ મી માર્ચથી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC)  અને ૧૨ (HSC) સામાન્‍ય– વિજ્ઞાન પ્રવાહની યોજાનારી જાહેર પરીક્ષાઓ તા.૨૮  મી માર્ચથી શરૂ થવાની છે ત્યારે વહીવટી તંત્રએ પરીક્ષાને આખરી ઓપ આપી દીધો છે.આ અંગે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને અને યોજાયેલ પત્રકાર પરિષદમા જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલની ઉપસ્થિતિમા યોજાઈ હતી. જેમાં  જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં જિલ્લાના કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા ધાર્મિક ફાર્મ હાઉસ ખાતે પરશુરામ જન્મમહોત્સવ અને જોલી યાત્રા નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Image
સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા ધાર્મિક ફાર્મ હાઉસ ખાતે પરશુરામ જન્મમહોત્સવ અને જોલી યાત્રા નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું  ✍️ નરેન્દ્રભાઈ દવે   જુનાગઢ: આજરોજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા ધાર્મિક ફાર્મ હાઉસ ખાતે પરશુરામ જન્મ મહોત્સવ અને જોલી યાત્રા નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.       તા. ૩-૫-૨૦૨૨ ના રોજ પરશુરામ જન્મોત્સવની ઉજવણી જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.      તા.૨-૫-૨૦૨૨ નાં રોજ બાઈક રેલી યોજાશે ,  આ મહા રેલી દરમ્યાન ગિરનાર રોડ પર સોનાપુરી સામે, પરશુરામ ચોકમાં, પરશુરામ દાદાની મહા આરતી કરવામાં આવશે. ત્યારબાદ દામોદરકુંડ ખાતે બાઈક રેલી નું સમાપન થશે.    ભગવાન શ્રી પરશુરામના જન્મ મહોત્સવ દિવસે જૂનાગઢમાં મોટી શોભાયાત્રા નીકળશે જે જાગનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા પાસેથી નીકળી આઝાદ ચોક, એમ.જી.રોડ, સરદાર ચોક થી કોલેજ રોડ  પરથી પસાર થઈ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા પુણૅ થશે. આ શોભાયાત્રામાં સૌ પ્રથમ પરશુરામ દાદા નો રથ, શોભાયાત્રા નાં અધ્યક્ષ મુક્તાનંદ બાપુ નો રથ અને ત્યારબાદ અન્ય રથ, સમસ્ત બ્રહ્મ

ઈનરવ્હીલ ક્લબ ઓફ- ભરૂચ દ્વારા IIID તથા નેરોલેક પેઇન્ટના સહયોગથી મેઘધનુષી ભરૂચ કાર્યક્રમનો શુભારંભ કરાયો

Image
ઈનરવ્હીલ ક્લબ ઓફ- ભરૂચ દ્વારા IIID તથા નેરોલેક પેઇન્ટના સહયોગથી મેઘધનુષી ભરૂચ કાર્યક્રમનો શુભારંભ કરાયો ✍️ મનિષ કંસારા   ભરૂચ: ઈનરવ્હિલ કલબ ઓફ- ભરૂચ દ્વારા ભરૂચ ખાતે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામા આવે છે. જે અંતર્ગત ઈનરવ્હિલ કલબ ઓફ- ભરૂચના પ્રમુખ અને પ્રોજેક્ટ ચેરમેન રીઝવાના તલકીન ઝમીનદારને એક વિચાર આવ્યો કે પછાત વિસ્તારને શણગારવો કે રંગરોગાન કરવાનો વિચાર કરવો અને સ્થળ પર પહોંચી તેનો અમલ કરવો એ એક ઐતિહાસિક ઘટના છે. આ રચનાત્મક પરીવર્તનનો એટલે વિચાર આવ્યો કે ઈનરવ્હિલ ક્લબ ઓફ- ભરૂચ જ્યારે સમાજમાં તમામ વિસ્તારોનાં અને તમામ વર્ગોને વિકાસના વિવિધ આયામો સાથે જોડતા હોય તો આ ગરીબોના ઘરનું સુશોભન કેમ ન કરી શકાય. સ્લમ વિસ્તારોને સ્વચ્છ હાઈજેનીક અને ડેકોરેટીવ આપણે કેમ બનાવી ન શકીએ આ વિચાર સાથે ઈનરવ્હિલ ક્લબે નેરોલેક પેઇન્ટ ના કંસાઈ (સીએસઆર) પ્રોજેક્ટ દ્વારા અમલ કરવા માટે તેના પ્લાન્ટ હેડ રાજેશ પટેલનો સંપર્ક કરી આ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું. આ પ્રોજેક્ટ માટે IIID ભરૂચના ચેરપર્સન મૈત્રી કલાપી બુચનો સહયોગ પ્રાપ્ત થયો અને IIID ના વિદ્યાર્થિઓની ડિઝાઈન અંગેની મહેનત અને આયોજનબદ્ધ કામગીરી સાથે આજે આ મેઘધન

ધુળેટીના પર્વે શહેરમાં દારૂની રેલમછેલ કરવાનો મનસૂબો ધરાવતાં બુટલેગરનો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ‘કલર’ કરી નાંખ્યો.

Image
ધુળેટીના પર્વે શહેરમાં દારૂની રેલમછેલ કરવાનો મનસૂબો ધરાવતાં બુટલેગરનો ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસે ‘કલર’ કરી નાંખ્યો. ✍️ મનિષ કંસારા ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એચ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે વિસ્તારમા કોમ્બીંગ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીદાર આધારે ભરૂચ નર્મદા ચોકડી ને.હા.નંબર ૪૮ ભરૂચ થી વડોદરા જતા રોડ પર બ્રીજના ઉત્તરના છેડા પાસે સર્વિસ રોડ ઉપર પરથી એક ઈસમ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૭૨ કિ.રૂ. ૨૬,૮૮૦/- મળી કુલ્લે રૂપિયા ૨૭,૩૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.   પકડાયેલ મુદ્દામાલ:- પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૭૨ કિંમત રૂપિયા ૨૬,૮૮૦   પકડાયેલ આરોપીનું નામ: રવિશંકર રામક્રીપાલ શુકલા હાલ રહે.પાંડેસરા પોલીસ કોલોની

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લામાં શેરી નાટકોના માધ્યમથી ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અંગેની માહિતી અપાઈ

Image
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લામાં શેરી નાટકોના માધ્યમથી  ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અંગેની માહિતી અપાઈ ✍️ મનિષ કંસારા  ભરૂચ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ભરૂચ દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં શેરી નાટકોના માધ્યમથી સ્વચ્છતા અંગેની માહિતી અપાઈ રહી છે. આ તબક્કે ગ્રામવાસીઓ દ્વારા સ્વચ્છતા અંગે સામૂહિક શપથ પણ લેવામાં આવી રહ્યા છે.      એસ.બી.એમ. ગ્રામીણના જિલ્લા કો-ઓર્ડીનેટર દિપક જે. પટેલ તથા સ્વચ્છ ભારત મિશનના આઈ.સી. કન્સલ્ટન્ટ જયેશ આર. પટેલ તથા તેમની ટીમ દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અંતર્ગત તમામ ગામોમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્તના દરજ્જાને કાયમી ધોરણે ટકાવી રાખવી અને લોકોના માનસિક વર્તણુંકો પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા ઘનને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, વ્યક્તિગત અને સામૂહિક શોકપીટ, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ તથા સ્વચ્છતા લક્ષી પ્રવૃત્તિઓ સુનિશ્ચિત કરવા શેરી નાટકોનું આયોજન કરી ગ્રામીણ લોકોમાં જાગૃત્તિ લાવવાનો સરાહનીય પ્રયાસો કરવામાં આ

વાલીયા તાલુકાના સોડગામ ખાતે “ઉત્કર્ષ પહેલ” કાર્યક્રમમાં વિધવા, વૃધ્ધો અને આયુષ્યમાન સહીતના ૧૫૦ લાભાર્થીએ લાભ લીધો

Image
વાલીયા તાલુકાના સોડગામ ખાતે “ઉત્કર્ષ પહેલ” કાર્યક્રમમાં  વિધવા, વૃધ્ધો અને આયુષ્યમાન સહીતના ૧૫૦ લાભાર્થીએ લાભ લીધો    કોઈપણ ગરીબ કે વંચિત વ્યક્તિની સમસ્યા માટે જિલ્લા વહીવટીતંત્ર તત્પર  -: વાલિયા તા.પંચાયત પ્રમુખ સેવંતુભાઈ વસાવા ✍️ મનિષ કંસારા ભરૂચ: વાલિયા તાલુકાના સોડગામ ખાતે “ઉત્કર્ષ પહેલ” હેઠળ આઠ ગામો માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વિધવા, વૃધ્ધો, આયુષ્યમાન સહીતના ૧૫૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. સરકારી યોજનાનો લાભ લાભાર્થીને મળે એ માટે વહીવટીતંત્રએ ખુદ કેમ્પ કરતા લોકોને સંતોષ થયો છે.      વાલિયા તાલુકાના સોડગામ પ્રાથમિક શાળામાં ગઈકાલે ઉત્કર્ષ પહેલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે વાલિયા મામલતદાર નેહા સવાણી, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુભાઈ વસાવા, સોડગામના સરપંચ સર્જનબેન વસાવા, ડેપ્યુટી સરપંચ સુરેન્દ્રસિંહ વરાછીયા, ડીઓપી એસપી આર.બી.ઠાકોર, એસપીઓ ભરૂચ યોગેન્દ્ર રાઠોડ, સોડગામ પ્રાથમિક શાળાના આચાર્ય દિગ્વિજયસિંહ રણા, વાલિયા મામલતદાર કચેરીના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં.     વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કોઈપણ ગરીબ માનવી યોજનાથી

શ્રી સોમનાથ ટ્રસ્ટના ગીર સોમનાથ જીલ્લામાં 11 લાખ વૃક્ષારોપણ મહાસંકલ્પ અભિયાન અંતર્ગત પૂ.ગીરીબાપુ એ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કર્યું.

Image
  શ્રી સોમનાથ ટ્રસ્ટના ગીર સોમનાથ જીલ્લામાં 11 લાખ વૃક્ષારોપણ મહાસંકલ્પ અભિયાન અંતર્ગત   પૂ.ગીરીબાપુ એ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કર્યું. ✍️ મનિષ કંસારા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જીલ્લાની 11 લાખની વસ્તીના પ્રમાણમાં 11 લાખ વૃક્ષો વાવવાનું અને તેનું જતન કરવાનું મહાઅભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ પ્રત્યક્ષ લોકભાગીદારીથી પૂર્ણ કરવા અભિયાનનો આરંભ કરેલ છે. ઓક્સિજનની કિંમત અને મહત્ત્વ આપણને કોરોના મહામારી દરમ્યાન સમજાયું છે. ગીર-સોમનાથ જીલ્લાના ખેડુતો, યુવાન ભાઈઓ અને બહેનો શ્રમદાન દ્વારા આ કાર્યમાં સહયોગ આપી રહ્યાં છે.     સોમનાથ તીર્થ એ હરિ-હર ની ભૂમિ છે, શ્રી સોમનાથ ટ્રસ્ટ ગૌ-શાળા ગોલોક ધામ- દેહોત્સર્ગ પુણ્યભૂમિમાં આવેલ છે. છોડ માં પણ રણછોડ નો વાસ છે, ત્યારે કથાકાર ગીરીબાપુએ આજરોજ 11 વૃક્ષ વાવી લોકોને શ્રી સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ ના મહાઅભિયાનમાં સહભાગી થઇ ઉચીત યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.    ગીર સોમનાથ જીલ્લામાંથી ખેડુતો દ્વારા 60,000 જેવા ફોર્મ વૃક્ષો મેળવવા માટેના મળ્યા છે. જે પણ ખેડુતો આ મહા સંકલ્પમાં જોડાઇ વૃક્ષો મેળવવાનો લાભ લેવા માંગત