Posts

Showing posts from January, 2024

અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહિલા ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

Image
અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહિલા ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. @મનિષ કંસારા  ભરૂચ: ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશા નાં રવાડે ના ચડે તથા નશા યુક્ત પદાર્થો નાં ખરીદ-વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂદ્ધના કેસો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓએ જિલ્લાનાં તમામ અધિકારીઓને સુચના કરવામાં આવેલ હતી.     જે સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી નાઓનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર. એસ. ચાવડા નાઓ ની સાથે એસ.ઓ.જી. સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ.     એસ.ઓ.જી. ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન હે.કો. નિમેષભાઈ જયંતિભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા મહિલા જ્યોતિકુમારી W/O દીપક હૃદયનારાયણ મંડલ નાએ પોતાના કબજા ભોગવટાની મારૂતિ શીફટ ડિઝાયર ગાડી નં-JH-04-U-5225 માં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૧૦.૦૦૩ કિ.ગ્રા. નાં મુદ્દામાલ સાથે મળી આવતા મહિલા વિરૂદ્ધ એન.ડી.પ

શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

Image
શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. @મનિષ કંસારા દ્વારા ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા ભરૂચ નાઓ ની સુચના અને માર્ગદર્શન આધારે.    પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી નાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી આધારે ભડકોદ્રા ન્યુ ઈન્ડીયા માર્કેટમાં એ.કે.એસ ટ્રેડર્સ ભંગારની દુકાનમાં ભરેલ સામાનની ઝડતી તપાસ કરતા કોપર નાં વાયરો નાં ગુચળા તથા એલ્યુમિનિયમના વાયરો તથા એસ.એસ. નો ભંગાર તથા એસ.એસ.ની નાની મોટી પાઈપો કટીંગ કરેલી મળી આવતા સદર મુદ્દામાલ નું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પુછતા હાજર ઈસમને પુછતા તેમણે સંતોષકારક જવાબ નહી આપતા સદર મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાય આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ઈસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે. પકડાયેલ મુદ્દામાલ:- (૧) કોપર નાં વાયરો નાં ગુચળા ૭૮ કી.ગ્રા.- કિં.રૂ.૪૬,૮૦૦/

અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું મોટું ઓપરેશન

Image
અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું મોટું ઓપરેશન ગુજરાત ની વાચા @મનિષ કંસારા   ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ અરબી સમુદ્રમાં એદનના અખાત પાસે હાઇજેક કરાયેલા ઇરાની જહાજ એમવી ઇમાનને સોમાલી ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું. ભારતીય નૌકા દળનાં મિશન દ્વારા તૈનાત યુદ્ધ જહાજ દ્વારા ઝડપી પ્રતિસાદ... અપહરણ કરાયેલા જહાજ અને ક્રૂની સલામત મુક્તિની ખાતરી આપી.  INS સુમિત્રાએ, સોમાલિયાના પૂર્વ કિનારે અને એદનના અખાતમાં એન્ટી-પાયરસી ઑપ્સ પર, ઈરાની ફ્લેગવાળા ફિશિંગ વેસલ (FV) ઈમાનના અપહરણ અંગેનાં દુઃખ સંદેશનો જવાબ આપ્યો.  FV પર ચાંચિયાઓ અને ક્રૂને બંધક તરીકે લેવામાં આવ્યા હતા.  સુમિત્રાએ જહાજને અટકાવ્યું, બોટ સાથે ચાલક દળનાં સલામત મુક્તિ માટે ચાંચિયાઓને દબાણ કરવા માટે સ્થાપિત SOPs અનુસાર કાર્ય કર્યું અને બોટ સાથેનાં તમામ 17 ક્રૂ સભ્યોની સફળ મુક્તિની ખાતરી કરી.  ત્યારબાદ FV ને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું અને આગળનાં પરિવહન માટે મુક્ત કરવામાં આવ્યું હતું.  ભારતીય નૌકા દળનાં જહાજોને હિંદ મહાસાગર ક્ષેત્રમાં એન્ટીપાયરસી અને મેરીટાઇમ સિક્યુરિટી ઑપ્સ પર તૈનાત કરાયેલું મિશન દરિયામાં તમામ જહાજો અને નાવિકોની સુરક્ષા

૭૫માં પ્રજાસત્તાક દિને સોમનાથમાં ધર્મ ભક્તિ અને દેશ ભક્તિ એકસાથે જોવા મળી

Image
૭૫માં પ્રજાસત્તાક દિને સોમનાથમાં ધર્મ ભક્તિ અને દેશ ભક્તિ એકસાથે જોવા મળી 🔸 સોમનાથનાં સાનિધ્યમાં દેશનાં ૭૫'માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું 🔸રાષ્ટ્ર ધ્વજ અને ધર્મ ધ્વજના એકસાથે  દર્શન કરી યાત્રીકો ધન્ય બન્યા ગુજરાત ની વાચા @મનિષ કંસારા  સોમનાથ: સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતા નું માનબિંદુ છે.  સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નિર્માણની ચળવળ એક સાથે શરૂ થઇ હતી. ત્યારે આજે આપણો દેશ અને સોમનાથ મંદિર વિશ્વ તરફ ઉન્નત મસ્તકે ભારતીય સંસ્કૃતિનાં અક્ષય હોવાનો પુરાવો આપી રહ્યા છે.     આજરોજ ૭૫’માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા નાં વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી. તથા ટ્રસ્ટનાં સલામતી સ્ટાફ, ટ્રસ્ટનાં અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળા નાં ઋષિકુમારો જોડાયા હતા. ધ્વજ વંદન બાદ ભારતમાતા અને સરદારની પ્રતિમાને ભાવાંજલી, પુષ્પાંજલી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરથી આવતા યાત્રીઓ જોડાયા હતા અને ધન્ય બન્યા હતા.     આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી

રાયોટિંગ અને હત્યાનાં પ્રયાસ નાં ગુનામાં ૩ મહિનાથી ભાગેડું કોંગી આગેવાન સુલેમાન પટેલની ધરપકડ કરતી ભરૂચ એલ.સી.બી.

Image
રાયોટિંગ અને હત્યાનાં પ્રયાસ નાં ગુનામાં ૩ મહિનાથી ભાગેડું કોંગી આગેવાન સુલેમાન પટેલની ધરપકડ કરતી ભરૂચ એલ.સી.બી.    સાર- ગત નવરાત્રીનાં તહેવાર દરમિયાન જોલવા ગામે રાયોટીંગ વીથ ખુનની કોશિશ નો ગુનો બનેલ સદર ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ આરોપીને વડોદરા શહેરની હોટલમાંથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ  @મનિષ કંસારા  ભરૂચ: ગત ઓક્ટોબર/૨૦૨૩ માં વાગરા તાલુકાનાં જોલવા ગામે પાદરમાં ફરિયાદી તથા સાહેદો અગાઉનાં બનેલ બનાવની વાતચીત કરતા હતા દરમિયાન આ કામનાં આરોપીઓ જોલવા ગામનાં સુલેમાન પટેલનાં કહેવાથી પુર્વ આયોજીત કાવતરા નાં ભાગરૂપે ઇક્કો ગાડીમાં ડાંગો જેવા હથિયાર લઇ ધસી આવેલા અને ફરિયાદી તથા સાહેદને માથામાં તથા શરીરનાં અન્ય ભાગે આડેધડ માર મારી ધિંગાણું સર્જી નાસી ગયેલા; આ બાબતે દહેજ પો.સ્ટે. રાયોટીંગ ખુનની કોશિશ વિગેરે સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.  ઉપરોક્ત ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુરભાઈ ચાવડા નાઓએ ઉપરોક્ત ગુનાનાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા સુચનાઓ આપેલ.    ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. રાઠોડ એલ.સી.બી. નાઓએ

સોમનાથમાં અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અદકેરી ઉજવણી

Image
સોમનાથમાં અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અદકેરી ઉજવણી  સોમનાથમાં અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અદકેરી ઉજવણી 🔸ધ્વજા પૂજા, જળ અભિષેક ત્રિંશોપચાર પૂજા, 3.50 કરોડ રામનામ લેખન સહિત અનેક ધાર્મિક અનુષ્ઠાન 🔸રામ મંદિર ઓડિટોરિયમ ખાતે મોટી સંખ્યામાં ભક્તો પ્રાણ પ્રતિષ્ઠાની ધન્ય ક્ષણ લાઈવ નિહાળી કૃતકૃતાર્થ થયા 🔸સોમનાથમાં નાસિક બેન્ડ નાં ઢોલ અને 130 શંખો નાં નાદ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પાવન ક્ષણ ઉજવવામાં આવી 🔸સોમનાથ શ્રી રામ મંદિર ખાતે પુરુષ સુક્ત, હનુમાન ચાલીસાના પાઠ, સાથે અન્નકૂટ અર્પણ કરી મધ્યાહન સમયે મહા આરતી કરવામાં આવી 🔸શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારામાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો ગુજરાત ની વાચા @મનિષ કંસારા  સોમનાથ: જ્યારે ભારતની ભાગ્યોદય ક્ષણ પર દેશનાં પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી નાં શુભ હસ્તે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ છે અને સદીઓની પ્રતિક્ષા પછી રઘુકુળ શિરોમણી પ્રભુરામ ફરી અયોધ્યાના હૃદય સ્થાનમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. ત્યારે જ્યાંથી શ્રી રામ મંદિરનાં પુનનિર્માણનો સંકલ્પ લેવાયો હતો તે સંકલ્પ

નારાયણ વિદ્યાવિહારનું અનોખું અભિયાન “હર ઘર મુલાકાત”

Image
નારાયણ વિદ્યાવિહારનું અનોખું અભિયાન  “હર ઘર મુલાકાત” મનિષ કંસારા દ્વારા  ભરૂચ: ભરૂચ નાં પૂર્વ વિસ્તારમાં આવેલી શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સંસ્થા નારાયણ વિદ્યાવિહાર તેના વિદ્યાર્થીઓને વાલીઓ માટે સતત નવી નવી પ્રવૃત્તિઓ થકી શિક્ષણ પ્રયોગો કરી રહી છે.      શિક્ષણમાં ક્રાંતિ આવી પરંતુ એની સાથે સાથે વાલી વ્યસ્તતા પણ એટલી જ વધી રહી છે. સતત સ્પર્ધાત્મક વાતાવરણમાં જીવતો, સંઘર્ષમય વાલી આજે બાળકો પાસે ખૂબ અપેક્ષા રાખે છે. સારી મોંઘી મોંઘી શાળાઓમાં અભ્યાસ માટે મૂકી દે છે પરંતુ બાળકનાં અભ્યાસ સંદર્ભે શાળા મુલાકાત વાલી મીટીંગ કે કોઈપણ શાળાકીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું આવે છે ત્યારે તેને ખૂબ અઘરું પડે છે. તો ચાલો વાલીને જ ઘરે મળીએ. શાળા જ વાલીના ઘરે પહોંચે.      નારાયણ વિદ્યાવિહાર નાં ડૉ. મહેશભાઈ ઠાકર એક જાણીતા શિક્ષણ વિદ્દ અને કેળવણી વિચારક છે જેમણે અનેક પ્રયોગો થકી શિક્ષણમાં સફળ લક્ષ્યાંકો સર કર્યા છે તેમાં હવે નવું એક અભિયાન તેઓએ શરૂ કર્યું છે “હર ઘર મુલાકાત".     ડૉ. મહેશભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,નારાયણ વિદ્યાવિહાર નાં 0 થી લઈ ધોરણ 12 સુધીનાં દરેક વિદ્યાર્થીનાં ઘરની મુલાકાત શિક્

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

Image
આઈડિયા ફોર ધ વિઝન   વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા @મનિષ કંસારા દ્વારા  ભરૂચ: ‘’વિકસિત ભારત” “સશક્ત ભારત” નાં ધ્યેયને પૂર્ણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત ૨૦૪૭નાં વિઝન માટે ભારતનાં દરેક ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ, સેવા કર્મીઓ, વિદ્યાર્થી ભાઈ-બહેનો, તજજ્ઞો, “વિકસિત ભારત સશક્ત ભારત”નાં સ્વપ્નને @૨૦૪૭ સુધીમાં પૂર્ણ કરીને દુનિયાનું મહત્વનું અર્થતંત્ર સ્થાપિત કરી શકે તે માટે સૌ જન સમુદાય શું શું કરી શકે? તેવા અગત્યનાં સુચનો રજુ કરે તે સંબંધિત એક અધ્યાય શરૂ કરેલ છે તેને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાઓમાં કૌશલ્ય દક્ષ તાલીમ પ્રાપ્ત કરનાર ભાઈ-બહેનો પણ ભારતને સંપૂર્ણ વિકસિત કરવા માટે પોતાનાં વિચારો, સુચનો રજુ કરે તે માટેનાં વિવિધ કાર્યક્રમો યોજે છે તે અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે એક કાર્યક્રમનું આયોજન ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ, ભરૂચ અને બોર્ડ મેમ્બર ઈન્દિરાબેન રાજ અને પૂર્વ શિક્ષણ અધિકારી અને વરિષ્ઠ કેળવણીકાર કે. કે. રોહિતની ઉપસ્થિતિમાં વક્તૃત્વ સ્પર્ધાનો કાર્યક્ર્મ યોજવામાં આ

સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે દિલ્હી તથા લદાખ નાં મહામહિમ રાજ્યપાલ

Image
સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે દિલ્હી તથા લદાખ નાં મહામહિમ રાજ્યપાલ પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન ગંગાજળ અભિષેક કર્યા... સોમનાથની પ્રવર્તમાન યાત્રી સુવિધાથી માહિતગાર થયા હતા... ગુજરાત ની વાચા મનિષ કંસારા દ્વારા  દિલ્હીનાં મહામહિમ રાજ્યપાલ વિનયકુમાર તથા લદાખ નાં મહામહિમ રાજ્યપાલ બી. ડી. મિશ્રા પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતાં,    શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનું વીઆઇપી ગેસ્ટહાઉસ ખાતે સ્વાગત કરવામાં આવેલ હતું.  સ્વાગત બાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચેલ જ્યાં તેઓએ પુજા સામગ્રી પુષ્પો, બિલ્વપત્રો પુષ્પમાળા સોમનાથ મહાદેવને અર્પણ કરી હતી; સાથે જ મહામહિમ દ્વારા  સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવામાં આવેલ હતો.     સોમનાથ ટ્રસ્ટ નાં પુજારી દ્વારા ઉપવસ્ત્રથી તથા જનરલ મેનેજર દ્વારા સ્મૃતિભેટ આપી મહામહિમ રાજ્યપાલ સહિત મહેમાનો નું સન્માન કરવામાં આવેલ.     સોમનાથ મંદિર પરિસર પાસે આવેલ સમુદ્ર દર્શન પથ, દક્ષિણ ધ્રુવ બાણ સ્થંભ, સોમનાથ મંદિર નાં સમરાંગણ પર લાગેલા સુવર્ણ કળશો સહિતનાં યાત્રી સેવા તથા મંદિર વિકાસનાં પ્રોજેક્ટની તેઓએ માહિતી  મેળવી હતી. #gujaratnivacha gujaratnivaacha@gmail.com 🇮🇳🚩🙏🇮🇳