Posts

Showing posts from October, 2021

ભારતની ૧૦૦ કરોડ લોકોના રસીકરણની વૈશ્વિક સિદ્ધિ: વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ

Image
ભારતની ૧૦૦ કરોડ લોકોના રસીકરણની  વૈશ્વિક સિદ્ધિ:  વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ 🔸 જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે સહિતના મહાનુભાવોએ આરોગ્યકર્મીએ રસીકરણ માટે કરેલી અથાગ મહેનતને બિરદાવી 🔸ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન 🔸ગીર સોમનાથ જિલ્લામાં ૯૦ ટકાથી વધુ રસીકરણ કરાયું: ૩૪૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ ✍️ નરેન્દ્રભાઈ દવે ભારતમાં ૧૦૦ કરોડ લોકોના રસીકરણની વૈશ્વિક સિદ્ધિની વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખી ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે, પોલીસ આધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આરોગ્યકર્મીઓએ રસીકરણ માટે કરેલી અથાગ મહેનતને બિરદાવી હતી. સાથે જ ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિંન્દ્ર ખતાલેએ જણાવ્યું હતુ કે આરોગ્ય કર્મીઓની કોરોનાની પ્રથમ વેવ શરૂ થયાથી આજ સુધી ઉત્તમ કામગીરી કરી છે. આરોગ્ય વિભાગની સતત મહેનતને કારણે આજે જિલ્લામાં 90% થી વધુ વેક્સીનેશન પૂર્ણ કરી શકાયું છે.   આ પ્રસંગે આરોગ્ય કર્મીઓને બિરદાવતા જિલ્લા પોલીસ અધિક

ગીર સોમનાથ જિલ્લામાં મચ્છરજન્ય રોગો અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ડોર-ટુ-ડોર સર્વે: ૨.૪૬ લાખ ઘરોની વિઝીટ કરીને ૨૧૬૯૩ પાત્રોમાંથી મચ્છરોના બ્રીડિંગ દૂર કરાયા

Image
ગીર સોમનાથ જિલ્લામાં મચ્છરજન્ય રોગો અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા  ડોર-ટુ-ડોર સર્વે:  ૨.૪૬ લાખ ઘરોની વિઝીટ કરીને ૨૧૬૯૩ પાત્રોમાંથી મચ્છરોના બ્રીડિંગ દૂર કરાયા 🔸 જિલ્લા આરોગ્ય તંત્રની ટીમોએ ૫.૪૧ લાખ પાત્રો તપાસ્યા: મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અનેકવિધ પગલાં લેવાયાં 🔸ડેન્ગ્યું, ચિકનગુનિયા, મેલેરિયા જેવી બિમારીઓને ડામવા જિલ્લા આરોગ્ય તંત્ર મેદાનમાં ✍️ નરેન્દ્રભાઈ દવે ગીર-સોમનાથ : ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ વકરે નહિં તે માટે જિલ્લા આરોગ્ય તંત્રે સક્રિયપણે કામગીરી કરીને સમગ્ર જિલ્લામાં ૨.૪૬ લાખ ઘરોનો ડોર-ટુ-ડોર સર્વે કરીને ૫૪૧૩૦૮ જેટલા પાત્રો તપાસ્યા હતા. જે પૈકી ૨૧૬૯૩ પાત્રોમાં મળી આવેલા મચ્છરોના બ્રીડિંગોનો ટેમોફોસ-કેરોસીન નાખી નાશ કરવામાં આવ્યો હતો.           મચ્છજન્ય રોગો અટકાવવા અને તેના નિયત્રંણ માટે CHO, MPHW, FHW, આશાબહેનો તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ વિઝીટ કરીને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફૂલદાની, ટાયર, ભંગાર, અગાસી, પાણી ભરેલ ખાડાઓ વગેરેની તપાસણી કરીને મચ્છર

માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંસ્થામાં કોરોના કંટ્રોલ પ્રોગ્રામ

Image
માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંસ્થામાં કોરોના કંટ્રોલ પ્રોગ્રામ   માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંસ્થામાં કોરોના કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ આરો વોટર ફિલ્ટર કે જેમાં આરો+યુવી+યુએફ,ટીડીએસ,B-12, આલ્કલાઇન, એન્ટી ઓકૃસીડન્ટ, કોપર, મિનરલ જેવી તમામ ટેકનોલોજીયુક્ત મશીન કે જેની માર્કેટ કીમત 24500/- છે તે ફકત રૂ. 8500/- મા આપવામાં આવે છે. સંસ્થા ખાતે કોરોના માટે જરૂરી તમામ વસ્તુઓ જેવીકે એન-95 માસ્ક, સેનીટાઈઝર, ઓક્ષિમીટર, સ્ટીમ મશીન જેવી વસ્તુઓનું કાયમી ધોરણે વિતરણ ચાલુ છે.    આ બધીજ જરૂરી વસ્તુઓનું સંસ્થા ખાતે વિતરણ ચાલુ છે. સંપર્ક ૯૪૨૬૭૩૭૨૭૩, ૯૪૨૯૧૬૬૭૬૬, સંસ્થાની અન્ય સેવાઓ મહિલા આશ્રમ કે જેમાં કોઈ પણ મહિલાઓ અમારા આધુનિક આશ્રમમા તદ્દ્ન નિઃશુલ્ક રહેવા માગતા હોય તો સંપર્ક કરશો, બાળકો / પતિ / માં-બાપ હોય કે ન હોય, ગમેતે વિસ્તાર કે રાજ્યના હોય, આધાર કાર્ડ પણ ન હોય તો પણ રાખીશું. ફક્ત જરુરીયાત મંદ હોવા જોઈએ. આપના નેક પ્રયાસ થકી કોઇ મુશ્કેલીઓ વેઠતી મહિલાઓ અમારા સુધી પહોંચશે તો અમોને સેવાની તક અને આપને આશિર્વાદ મળશે. મહિલા આશ્રમમાં દાન / તિથી ભોજન સ્વીકાર્ય છે. સંસ્થાની આ સેવાઑમા દાનની ખાસ જરુર હોય સજ્જનોને દાન આપવા

ગીર સોમનાથ જિલ્લા કાનૂની સત્તા સેવા મંડળ દ્વારા વેરાવળ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો: યોજનાકીય લાભોનુ કરાયું વિતરણ

Image
ગીર સોમનાથ જિલ્લા કાનૂની સત્તા સેવા મંડળ દ્વારા વેરાવળ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો: યોજનાકીય લાભોનુ કરાયું વિતરણ   🔶 ૪૫૦ લાભાર્થીઓને નિ:શુલ્ક કાનૂની સલાહ અને માર્ગદર્શન અપાયું 🔶આવક ,  જાતિ , EWS,  દિવ્યાંગ ,  અને મહિલાલક્ષી યોજનાઓના ૨૫૧ લાભાર્થીઓને  લાભ અપાયો ,  સાથે ૨૪૯ અરજીઓ સ્વીકારાઈ 🔶કુલ ૧૨ વીભાગો અને ૯૫૦ નાગરીકોએ કેમ્પમાં ભાગ લીધો. ✍️ નરેન્દ્રભાઈ દવે  ગીર-સોમનાથ:   ગીર સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ    અંતર્ગત વેરાવળ ખાતેની પ્રાંત કચેરીના સભાગૃહમાં મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો. જેમાં યોજનાકીય લાભોનુ વિતરણ કરવાની સાથે નિ : શુલ્ક કાનૂની સલાહની અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આવક ,  જાતિ , EWS   સિહતના પ્રમાણપત્રો આપવાની સાથે મહિલાલક્ષી યોજનાઓની અરજીઓ સ્વીકારવામાં આવી હતી. આ કેમ્પમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ સરકારશ્રીના વિવિધ ૧૨ વિભાગો દ્વારા મહિલાઓ ,  બાળકો ,  દિવ્યાંગો ,  ઔદ્યોગિક કામદારો ,  ઓછી આવક મર્યાદા ધરાવતા લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવાની સાથે તેમને નિશુલ્ક કાનૂની સહાય ,  મધ્યસ્થતા ,  લોક અદાલત વગેરેની  વિગતવાર જાણ

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧’ લાખ વૃક્ષોના વૃક્ષારોપણ થી વૃક્ષ ઉછેરવાનો "સંકલ્પ સમારોહ" યોજાયો

Image
શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧’ લાખ વૃક્ષોના વૃક્ષારોપણ થી વૃક્ષ ઉછેરવાનો "સંકલ્પ સમારોહ" યોજાયો ✍️ નરેન્દ્રભાઈ દવે   શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલ્પ સમારોહ કાર્યક્રમ ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી. કે. લહેરી તથા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રી આર. જી. ગોહિલ ના ઉપસ્થીતીમાં કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, નગરપાલીકાઓના પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, પ્રાંત અધીકારીશ્રી, ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, રેવન્યુ તથા પંચાયતના અધિકારીઓ, વનવિભાગના નિવૃત્ત અધિકારીઓ, આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ શ્રી સુરેશભાઈ જાની તથા શ્રી કીરીટભાઈ ભિમાણી સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.    આ પ્રસંગે જીલ્લા કલેક્ટરશ્રી ગોહિલ એ જણાવેલ કે શ્રી સોમનાથ ટ્રસ્ટ સદૈવ આ વિસ્તાર માટે કાર્ય કરી રહેલ છે, વૃક્ષો વાવવા કરતાં પણ તેને ઉછેરવા એ મહત્વનું, ઓક્ટોબર-જૂન-ફેબ્રુઆરી સહીતના માસમાં વૃક્ષ ઉછેર વધુ સારી રીતે થઈ શકે વહીવટી તંત્ર આ કાર્યમાં પુરતો સહયોગ કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.     આ પ્રસ

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય વોકેશનલ તાલીમ સીરીઝ ૨૦૨૧-૨૨નું આયોજન

Image
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય વોકેશનલ તાલીમ સીરીઝ ૨૦૨૧-૨૨નું આયોજન  ✍️ નરેન્દ્રભાઈ દવે જુનાગઢ: જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી  મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. અંતર્ગત પાંચ દિવસીય વોકેશનલ તાલીમોનું તા. ૦૪/૧૦/૨૦૨૧  થી તા.૦૮/૧૦/૨૦૨૧ દરમ્યાન જુ.કૃ.યુ. ના ઓડીટોરીયમ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ વોકેશનલ તાલીમ સીરીઝ ૨૦૨૧-૨૨ અંતર્ગત ત્રણ અલગ અલગ વિષયો જેમ કે આઈ. ઓ. ટી. ઇન એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજીઝ ફોર એન્ટરપ્રિન્યુરશીપ ડેવલોપમેન્ટ અને સોલાર એનર્જી  ટેકનોલોજીઝ ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અને રૂરલ ડેવેલપમેન્ટ ના વિષય પર કૃષિ ઇજનેરી કોલેજ ના વિભાગો દ્વારા યોજવામાં આવશે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ આધુનિક ટેકનોલોજી જેવીકે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નો એગ્રીકલ્ચર માં મહત્વ, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી સેક્ટર માં વિદ્યાર્થીઓં ને ઉદ્યોગ સાહસિકો માટે રહેલી ઉજ્જવળ તકો તેમજ સૂર્ય ઉર્જા ની ટેકનોલોજીનો કૃષિ અને ગ્રામીણ  ક્ષેત્રે વિકાસ અંગે નું મહત્વ આ તાલીમ દ્વારા આપવામાં આવશે.   આયોજીત વિવિધ તાલીમો તા. ૦૪/૧૦/૨૦૨૧