Posts

Showing posts from December, 2021

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વિશેષ સ્કીલ હબ શરૂ કરાશે

Image
  જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વિશેષ સ્કીલ હબ શરૂ કરાશે  ✍️ મનિષ કંસારા ભરૂચ: જે.એસ.એસ. ભરૂચનાં નિયામક અને સભ્ય સચિવ ઝયનુલ સૈયદ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા આગામી ૧ લી જાન્યુઆરી ૨૦૨૨ થી સમગ્ર દેશમાં શાળા છોડી ગયેલ વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ પૂરી પાડવા માટે વિશેષ સ્કીલ હબનું આયોજન કરાયેલ છે.    આ પ્રકારના સ્કીલ હબમાં અદ્યતન પ્રકારની જુદા-જુદા જોબ રોલ ધરાવતી સુવિધાઓ ઉભી થનાર છે . માનનીય વડાપધાન નરેન્દ્રભાઈ મોદીના “કૌશલ ભારત, કુશલ ભારત” ના સ્વપ્નને સાકાર કરવા સમગ્ર દેશમાં ૫૩૪૪ સ્કીલ હબ ઉભા કરાશે. જે પૈકી ૫૦ જન શિક્ષણ સંસ્થાનોની પસંદગી થયેલ છે અને ગુજરાતમાંથી બે જન શિક્ષણ સંસ્થાન પસંદગી પામેલ છે. જે પૈકી ભરૂચ ખાતે સ્થાનિક જરૂરીયાત અને માંગ અનુસાર જનરલ ડ્યુટી આસીસટન્ટ (નર્સીંગ) તથા આસીસટન્ટ બ્યુટી થેરાપીસ્ટ (ફકત બહેનો) માટે અભ્યાસક્રમોની ફાળવણી કરવામાં આવેલ છે. આ અભ્યાસક્રમોમાં સાડા ત્રણ માસના સમયગાળામાં તાલીમ પૂરી પડાશે. આ તાલીમ કાર્યક્રમ સંસ્થાના હેડ ક્વાર્ટર ખાતે રેગ્યુલર ચાલશે અને તમામે બાયોમેટ્રીક એટેન્ડન્સ મશીન ઉપર હાજરી પૂરવાની રહેશે.

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું

Image
ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું ✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ  રાજપારડી:   ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના શિયાલી ગામે રહેતા દીપકભાઈ ગિરીશભાઈ પટેલ ખેતી સાથે પશુપાલનનો પણ ખુબ  સારો વ્યવસાય કરે છે. દીપકભાઈ પાસે દેશી ગાયો તથા ભેંસોનો તબેલો છે. ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત સુશાસન સપ્તાહ નિમિત્તે નાયબ પશુપાલન નિયામક દ્વારા ધનિષ્ઠ પશુ સુધારણા યોજના ભરૂચ અંતર્ગત તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાનના અપાયા. જેમાં  તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકને  સન્માનિત  કરવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના દીપકભાઈ ગિરીશભાઇ પટેલે પોતાના પશુપાલન ક્ષેત્રે આગવી કોઠાસૂઝ થી ઉચ્ચ  કક્ષાની સિધ્ધિ મેળવીને  ધ્યાનાકર્ષક કામગીરી કરી હતી, તથા અન્ય પશુપાલકોને પણ તેઓએ માર્ગદર્શન  આપ્યુ છે, તે બદલ દિપકભાઈ પટેલને ઝઘડિયા તાલુકા કક્ષાનું પ્રથમ સ્થાનનું શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૧-૨૨ ભરુચ મુકામે સાંસદ મનસુખભાાઈ વસાવાના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

નેત્રંગ મુકામે તાલુકા ભાજપાની કારોબારી બેઠક યોજવામાં આવી

Image
નેત્રંગ મુકામે તાલુકા ભાજપાની કારોબારી બેઠક યોજવામાં આવી બેઠકમાં અભ્યાસ વર્ગ ઘરઘર દસ્તક મનકી બાત જેવા મુદ્દાઓની સમજણ અપાઇ ✍️ ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ  રાજપારડી: ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આજરોજ તા.૨૯ મીના રોજ  તાલુકા ભાજપાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.    ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર અને  નેત્રંગ તાલુકા પ્રભારી રશમિકાંત પંડ્યાના અધ્યક્ષ સ્થાને મળેલ આ કારોબારી બેઠકમાં તા. ૮, ૯ જાન્યુઆરી નારોજ તાલુકાનો અભ્યાસ વર્ગ યોજવા સંબંધી, ઘરઘર દસ્તક કાર્યક્રમ, પેઇજ સમિતિ, મનકી બાત અને ચલો યુવા વિસ્તારક યોજના જેવા વિવિધ  મુદ્દાઓ  રશ્મિકાંત પંડ્યાએ ઉપસ્થિત કાર્યકરોને સમજાવ્યા. નેત્રંગ તાલુકાની આ  કારોબારી બેઠકમાં તાલુકા પ્રમુખ મનસુખભાઇ વસાવા, જીલ્લા  મંત્રી ભાવનાબેન પંચાલ, મહામંત્રી પ્રકાશભાઈ ગાવિત તાલુકાપંચાયત પ્રમુખ લીલાબેન,  જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત બેઠકમાં સંગઠન મજબુત બનાવવા તેમજ પ્રજાલક્ષી કામો માટે આગળ આવવા કાર્યકરોને અનુરોધ કરવામાં આવ્યો હતો. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ

નદી ઉત્સવની ઉજવણી અંતર્ગત ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે “નેચરવોક” “પાકૃતિક શિબિર” અને “વૃક્ષારોપણ” નો કાર્યક્રમ યોજાયો

Image
નદી ઉત્સવની ઉજવણી અંતર્ગત ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે “નેચરવોક” “પાકૃતિક શિબિર” અને “વૃક્ષારોપણ” નો કાર્યક્રમ યોજાયો પ્રકૃતિ માણો - શીખો  અને બીજાને પણ શીખવાડીયે નો સંદેશ અપાયો નીલકંઠ નર્સરીથી મનન આશ્રમ સુધી નર્મદા નદીના કિનારે અલગ અલગ પ્રકારના રોપાઓનું કરાયેલું વૃક્ષારોપણ ✍️ મનિષ કંસારા ભરૂચઃ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે “નેચરવોક” “પાકૃતિક શિબિર” અને “વૃક્ષારોપણ”નો કાર્યક્રમ યોજાયો હતો. વન વિભાગ અને એન.જી.ઓના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ, પ્રાંત અધિકારી એન. આર. પ્રજાપતિ, સિંચાઇ વિભાગના અધિક્ષક ઇજનેર આર. જી. ધનકર, નાયબ કલેકટર પ્રિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.  આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈએ  નદી ઉત્સવ અંતર્ગત નેચરવોક (પ્રકૃતિ અને ઇકોલોજી) નું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહયું કે લોકો પ્રકૃતિ પ્રત્યે જાગૃત બને, પ્રકૃતિમાં માત્ર ઝાડ નથી આવતા પ્રકૃતિમાં નાના કીટકથી માંડીને પતંગીયા, પક્ષી પશુ દરેકનું પ્રકૃતિમાં સમાવેશ થાય છે પ્રકૃતિ મનુષ્યના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે અને તેમાં

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે મનકી બાત કાર્યક્રમ અંતર્ગત ભાજપા કાર્યકરોની બેઠક યોજાઇ

Image
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે મનકી બાત કાર્યક્રમ અંતર્ગત ભાજપા કાર્યકરોની બેઠક યોજાઇ  ✍️ ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ  રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે એપીએમસી ખાતે આજરોજ પ્રધાનમંત્રીના મનકી બાત કાર્યક્રમ અંતર્ગત ઝઘડીયા ભાજપાના કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આયોજિત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા અગ્રણીઓ જનકભાઈ તેમજ ધર્મેન્દ્રસિંહ, તાલુકા ભાજપા પ્રમુખ અતુલ પટેલ, મહામંત્રીઓ ભુપેન્દ્રસિંહ રાઠોડ તેમજ કેતવભાાઈ, તાલુકા પ્રમુખ રીનાબેન વસાવા, તાલુકા ભાજપા અગ્રણીઓ રશ્મિકાંત પંડ્યા, રવજી વસાવા, રશ્મિબેન વસાવા, મહેન્દ્રસિંહ વાસદીયા, દિપક પટેલ, અશોક પટેલ, યુવા કાર્યકરો રાકેશ ચૌહાણ, હિરલ પટેલ, ધ્રુપલ પટેલ, વિક્રમસિંહ રાજ, દિનેશ વસાવા તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.    ઉપસ્થિત કાર્યકરોએ પ્રધાનમંત્રીનો મનકી બાત કાર્યક્રમ નિહાળ્યો. સાંસદ મનસુખભાઈ વસાવાએ મનકી બાત કાર્યક્રમ અંતર્ગતના વિવિધ મુદ્દાઓ જેવાકે શિક્ષણ આરોગ્ય જેવી બાબતો વિષે સમજ આપી. ધર્મેન્દ્રસિંહ અને જનકભાઈ એ ગ્ર

લીડરશીપમાં ગુજરાતે સૌના સાથ-સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી વિકાસના અનેક નવા સીમાચિહ્ન પાર કર્યા છે. -: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

Image
લીડરશીપમાં ગુજરાતે સૌના સાથ-સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી વિકાસના અનેક નવા સીમાચિહ્ન પાર કર્યા છે.            -: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી   🔶 સમાજના સર્વાંગી વિકાસને બિરદાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ 🔶મિશન-૨૦૨૬ અંતર્ગત સરદારધામ - વિશ્વ પાટીદાર સમાજ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન એવમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨ પ્રમોશનલ પ્રોગ્રામ-૮ કાર્યક્રમ અંક્લેશ્વર ખાતે યોજાયો  🔶શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા  ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ  ✍️ મનિષ કંસારા ભરૂચઃ મિશન-૨૦૨૬ અંતર્ગત સરદારધામ – વિશ્વ પાટીદાર સમાજ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન એવમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ-૨૦૨૨ પ્રમોશનલ પ્રોગ્રામ-૮ કાર્યક્રમ અંક્લેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.     આ તકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ GPBSમાં સૌને જોડાવવાનું આહ્વાન કરતાં જણાવ્યું હતું કે GPBS આપણે શરૂ કર્યું છે, અલગ અલગ પ્રકારના નામોથી ઓર્ગેનાઇઝેશન પણ આપણે ચલાવીએ છીએ જેને એક પ્લેટ

છેલ્લા દોઢ વર્ષથી અંક્લેશ્વર શહેર પો.સ્ટે.ના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ

Image
છેલ્લા દોઢ વર્ષથી અંક્લેશ્વર શહેર પો.સ્ટે.ના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ ✍️ મનિષ કંસારા ભરૂચ: પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ.શ્રી બી. ડી. વાઘેલા નાઓ નાં માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમ ના માણસો ભરૂચ શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં, દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે અંક્લેશ્વર શહેર પો.સ્ટે. પાર્ટ-C FIR No. 11199004200833/2020 પ્રોહિ. એક્ટ કલમ ૬૫ એ ઈ, ૯૮(૨), ૮૧ મુજબનાં ગુન્હામાં પોલીસ ધરપકડથી નાસતા-ફરતા આરોપી મહેન્દ્રસિંહ નટવરસિંહ પઢીયાર રહે.સંભોઈ, મહાદેવ ફળીયું, તા.કરજણ જી.વડોદરા નાને આજે તા.૧૮/૧૨/૨૦૨૧ નારોજ સંતોષી વસાહત ભરૂચ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર "બી" ડિવિઝન પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.       ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ના અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઈ તથા

વિશ્ર્વભરમાં વસતાં લેઉવા - કડવા પાટીદારો માટે રાજકોટ હેમુ ગઢવી હૉલ ખાતે ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો

Image
વિશ્ર્વભરમાં વસતાં લેઉવા - કડવા પાટીદારો માટે રાજકોટ હેમુ ગઢવી હૉલ ખાતે ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો  ✍️ મનિષ કંસારા   સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ શ્રી મુકેશભાઈ મેરજા, શ્રી ગીતાબેન પટેલ, શ્રીમતી વિભાબેન મેરજા, શ્રી નાથાભાઈ કાલરીયા, અને સભ્ય પરીવારો દ્વારા ભારતભરમાં ફક્ત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લાં પંદર વર્ષથી વિશ્ર્વભરમાં વસતાં લેઉવા પટેલ અને કડવા પટેલનાં લગ્ન ઇચ્છુક યુવક અને યુવતીઓ માટે પરંપરાગત પદ્ધતિ મુજબ નવા કોન્સેપ્ટ સાથે તદ્દન ફ્રી મેરેજ બ્યુરો યોગ્ય જીવનસાથીની પસંદગી માટે ચાલે છે.    જે અંતર્ગત રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે જાન્યુઆરી 2022 માં તદ્દન નિ:શુલ્ક જીવન સાથી પસંદગી મેળો યોજાશે.     પાટીદાર સમાજનાં અગ્રણીઓમાં મણીભાઈ મમ્મી, દિલીપભાઈ નેતાજી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, લાલજીભાઈ પટેલ, ગોવિંદભાઈ ધોડકિયા, લવજીભાઈ બાદશાહ, નરેશભાઈ પટેલ, હસરાજભાઈ ગજેરા, બાબુભાઈ ઘોડાસરા, જેરામભાઈ વાંસજાડીયા, ગગજીભાઈ સુતરિયા, ડો. ડાહ્યાભાઈ ઉકાણી, મૌલેશભાઈ ઉકાણી, વલ્લભભાઈ કટારીયા, પુરષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા, મોહનભાઈ કુંડારીયા, ભૂપેન્દ્રભાઈ પટેલ, રાવજીભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, જયેશભાઈ

અંક્લેશ્વર તાલુકાના કાપૉદરા ખાતેથી દેશી બનાવટના તમંચા તથા કારતુસ સાથે રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાંચ

Image
અંક્લેશ્વર તાલુકાના કાપૉદરા ખાતેથી દેશી બનાવટના તમંચા તથા કારતુસ સાથે રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાંચ   ✍️મનિષ કંસારા ભરૂચ: ગુજરાત રાજ્યમાં આયોજીત આગામી ગ્રામ પંચાયતોની ચુંટણી અનુલક્ષીને ભરૂચ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થતિ જળવાઇ રહે તે સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ એ સુચનાઓ આપેલ છે.   જે અનુસંધાને જે.એન .ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસરની અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા એલ.સી.બી ની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલ છે.   આજરોજ એલ.સી.બી. ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન માહીતી મળેલ કે અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલ એક રીઢો આરોપી પોતાની પાસે તમંચો લઇ ફરી રહેલ છે. જે મળેલ માહીતી આધારે એલ.સી.બી. ની ટીમે અંક્લેશ્વર તાલુકાના કાપૉદરા ગામ ખાતે વોચ માં રહી રીઢા આરોપીને એક દેશી બનાવટનાં તમંચો તથા જીવતા કારતુસ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપી

"છોડમાં રણછોડ" ના અભિગમ સાથે અંક્લેશ્વર રેલવે પરિસરમાં અંક્લેશ્વર રેલ વિભાગ, કેડીલા હેલ્થ કેર તેમજ સાથી ફાઉન્ડેશન દ્વારા કરાયું વૃક્ષારોપણ

Image
 "છોડમાં રણછોડ" ના અભિગમ સાથે અંક્લેશ્વર રેલવે પરિસરમાં અંક્લેશ્વર રેલ વિભાગ, કેડીલા હેલ્થ કેર તેમજ સાથી ફાઉન્ડેશન દ્વારા કરાયું વૃક્ષારોપણ "છોડમાં રણછોડ" ના અભિગમ સાથે અંક્લેશ્વર રેલવે પરિસરમાં અંક્લેશ્વર રેલ વિભાગ, કેડીલા હેલ્થ કેર તેમજ સાથી ફાઉન્ડેશન દ્વારા કરાયું વૃક્ષારોપણ અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન સાથી ફાઉન્ડેશન અંદાડા, ઝાયડસ કેડિલા તેમજ અંક્લેશ્વર રેલવે સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું. ભરૂચ: અંક્લેશ્વર રેલવે સ્ટેશન ખાતે ઝાયડસ કેડિલા કંપનીના E.H.S. ના જનરલ મેનેજર નીતિન શાહ, કંપનીના અધિકારીઓ તેમજ સાથી ફાઉન્ડેશનના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ભરૂચના ઉ.પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ, અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના સુપ્રિટેન્ડન્ટ પી.એલ. મકવાણા, ચીફ હેલ્થ ઇન્સ્પેક્ટર વિજયભાઈ, વાણિજય ઈન્સ્પેક્ટર આદિત્ય સુક્લા, રેલ્વેના કર્મચારીઓ તેમજ સાથી ફાઉન્ડેશન સાથી હોદ્દેદારોએ હાજરી આપી રેલ્વે પરિસરમાં કલાઈમેન્ટ ચેન્જ અને પ્રદુષણને નાથવા તેમજ રેલ્વે સ્ટેશન પરિસરને બ્યુટિફિકેશન કરવાનાં હેતુ થી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રેલવે સ્ટેશન ખાતે દરેક યાત્