Posts

Showing posts from January, 2022

સમગ્ર દેશમાં ૧૦૦ જેટલી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે વિચારણા, ભરૂચ જિલ્લામાં રસ ધરાવતા રાજ્ય સરકાર હસ્તકની શાળાઓ, એન.જી.ઓ, પ્રાઇવેટ પાર્ટનર્સ નોંધે

Image
સમગ્ર દેશમાં ૧૦૦ જેટલી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે વિચારણાં ભરૂચ જિલ્લામાં રસ ધરાવતાં રાજ્ય સરકાર હસ્તકની શાળાઓ, એન.જી.ઓ,  પ્રાઇવેટ પાર્ટનર્સ એ નોંધ લેવી 🔶  https://sainikschool.ncog.gov.in સાઇટ પર રજીસ્ટ્રેશન તેમજ અન્ય વિગતો મળી શકશે ✍️મનિષ કંસારા ભરૂચઃ ભારત સરકારે રાજ્યના એનજીઓ દ્વારા ખાનગી ભાગીદારી દ્વારા સૈનિક સ્કૂલ સોસાયટી સંરક્ષણ મંત્રાલય હેઠળ એફીલિએશન ધોરણે નવી સૈનિક શાળા સ્થાપના ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૧૦૦ જેટલી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવેલ છે.  સદર બાબતે ભરૂચ જિલ્લામાં રસ ધરાવતા રાજ્ય સરકાર હસ્તકની શાળાઓ, એન.જી.ઓ, પ્રાઇવેટ પાર્ટનર્સને સામેલ કરવાના છે. રસ ધરાવતા એન.જી.ઓ, પ્રાઇવેટ પાર્ટનર્સને https://sainikschool.ncog.gov.in સાઇટ પર રજીસ્ટ્રેશન તેમજ અન્ય વિગતો મળી શકશે એમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી- ભરૂચે જણાવ્યું છે. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

༺ શિક્ષક ༻

Image
   ༺ શિક્ષક ༻                     ༺ શિક્ષક ༻     શિક્ષક વિશે ઘણા ની મનોભવના અલગ અલગ રીતે વિચારે છે. ઘણા ગુરુ નું સ્થાન ઊંચું રાખે છે. તો ઘણા ને શિક્ષક ની ટીખળ કરવા માં કઈ વાંધો નથી આવતો. શિક્ષક વિશે એવું તો સાંભળ્યું જ છે કે ખાલી એક કલમ વડે દેશ નું ભવિષ્ય ઉજ્જવળ પણ કરી શકે છે. ઉજ્જડ પણ કરી શકે છે. એની કલમ માં એટલી તાકાત હોય છે. કે ધારે તો માણસનું ભવિષ્ય ઉન્નત સીડી પર ચડાવી દે છે. બાકી ખાડા માં પડવા લાયક પણ નથી છોડતાં.      એક નાના બાળક ની જેમ તમારી આંગળી પકડી ને તમને સફળતાની સીડી સુધી પહોંચાડનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ શિક્ષક છે. આ દુનિયા માં એંસી ટકા લોકો નું માનવું છે કે શિક્ષક એક ગોખણપટ્ટી કરનાર વ્યક્તિ છે. જે બસ ચોપડી નું લખેલું બોલ્યે જાય છે. બાકી એને ખુદ ને તો કશું આવડતું જ નથી. ભ્રષ્ટાચાર ના પાયા ઉપર ચાલી ને શિક્ષક બને છે. તમારું શું માનવું છે?! બધા શિક્ષકો ભ્રષ્ટાચારી હશે ?! બધા પોતપોતાની વિચાર ધારા પ્રમાણે વિચારે છે. કોઈ સારા પણ હોય અને કોઈ સારા ના પણ હોય પણ એનો મતલબ એવો તો નથી કે તમે બધા વિશે એક વિચાર રાખો કે બધા એક હરોળ માં ચાલનારા છે. કોઇનું માનવું એવું છે ભણેલું ક્યારેય ક

મારી અંગત ડાયરીના વિચારો અંતર્ગત આજે નવા વિચાર સાથે પ્રસ્તુત છું :- લાગણી

Image
મારી અંગત ડાયરીના વિચારો અંતર્ગત આજે નવા વિચાર સાથે પ્રસ્તુત છું :-                           ༺ લાગણી ༻   ✍️લેખક : ગૌતમ દવે(શિક્ષક)                     લાગણી એક એવો ભાવ છે જે હમેશાં વ્યક્તિને હકારાત્મક જીવન જીવવા પ્રેરે છે... લાગણીશીલ વ્યક્તિ હમેશાં પોતાના કુટુંબ,  મિત્રો, સમાજ સાથે જોડાયેલો રહે છે ને દરેક સંબંધને બહુ પરિપક્વતા થી નિભાવે છે... પોતાના મા-બાપ પ્રત્યેની લાગણી બાળકોને અભ્યાસ પ્રત્યે હકારાત્મક બનાવી અભ્યાસમાં અગ્રેસર બનવામાં મદદ કરે છે... લાગણીશીલ યુવાન હંમેશા પોતાના મા બાપ ને મદદરૂપ થવાનું વિચાર છે અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા હેતુ વ્યવસાય મેળવવા જાગૃત બને છે...  મા-બાપ અને કુટુંબ પ્રત્યેની લાગણી એક એવો ભાવ છે કે યુવાનીમાં વ્યક્તિને અવળા માર્ગે જતો અટકાવે છે...  લાગણીશીલ વ્યક્તિ એક પરિપક્વ સંબંધ અથવા પ્રેમ પ્રસ્થાપિત કરી શકે છે અને લાંબા સમય સુધી આ સંબંધ ટકાવી શકે છે... લાગણીશીલ પુરૂષ પોતાના માબાપ , પોતાની પત્ની અને બાળકોનો યોગ્ય ખ્યાલ રાખે છે અને પોતાની જવાબદારીઓ પ્રત્યે ગંભીર હોય છે અને તે દરેક જવાબદારીનું યોગ્ય રીતે નિર્વહન કરે છે...  લાગણીશીલ સ્ત્રી પોતાના પતિ ની જ

ભરૂચ ખાતે શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલાં ૬૫ જેટલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ એનાયત કરાયા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના વરદહસ્તે પાંચ શિક્ષકોને હુકમો એનાયત કરાયા

Image
ભરૂચ ખાતે શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલાં ૬૫ જેટલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ એનાયત કરાયા    જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના વરદહસ્તે પાંચ શિક્ષકોને  હુકમો એનાયત કરાયા  ✍️ મનિષ કંસારા  ભરૂચઃ ભરૂચ જિલ્લાની બિન સરકારી અનુદાનિત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વર્ષ-૨૦૧૬માં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલાં ૬૫ જેટલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ આજરોજ ૬૫ માંથી ૫ જેટલાં શિક્ષકોને કલેકટર તુષારભાઈ સુમેરા તેમજ જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીના હસ્તે કલેકટર કચેરી ખાતે હુકમો આપવામાં આવ્યા હતાં.      આ તબક્કે જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ મદદનીશ શિક્ષક તરીકે નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયેલ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી પોતાનો શિક્ષકધર્મ બજાવવા અને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ધી ભરૂચ-નર્મદા માધ્યમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટી, ભરૂચ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાના હસ્તે આપવામાં આવ્યા હતાં.     આ પ્રસંગે ભરૂચ જિલ્લા માધ્ય

મિકેનિકલ જીવન ( યાંત્રીક જીવન )- અંગત જીવનની ડાયરી નાં વિચારો અંતર્ગત...

Image
મિકેનિકલ જીવન ( યાંત્રીક જીવન )- અંગત જીવનની ડાયરી નાં વિચારો અંતર્ગત...   મારી અંગત જીવનની ડાયરી નાં વિચારો અંતર્ગત એક નવી પોસ્ટ :-                   મિકેનિકલ જીવન ( યાંત્રીક જીવન )                       છેલ્લું લેક્ચર ફ્રી હોવાથી હું સ્ટાફ રૂમમાં બેઠો હતો અને સામે આચાર્ય સાહેબ એમનાં ટેબલ પર એમનું કામ કરી રહ્યા હતાં... અચાનક મારાં મોંઢા માંથી શબ્દો સરી પડ્યાં કે,  “સર વર્ષ નાં ચાર દિવસ પણ પુરા થઈ ગયા.”  આ સાંભળી સાહેબે પ્રત્યુતર આપ્યો કે,  “સાહેબ તમે ચાર દિવસ ની શું વાત કરો છો.... જિંદગી પણ પુરી થઈ જશે...  આપણું જીવન મિકેનિકલ બની ગયું છે...” મેં કહ્યું કે, “સાચું સાહેબ આપણું જીવન મિકેનિકલ બની ગયું છે...”   આ મિકેનિકલ લાઈફ શબ્દ શાળા છુટયા પછી સતત મારા મનમાં ફર્યા કર્યો એટલે થયું કે લાવ નવા વર્ષ ની પહેલી પોસ્ટ તરીકે આ શબ્દને થોડો વિસ્તાર પુર્વક વ્યાખ્યાયિત કરૂં... એટલે ચાલો મિકેનિકલ લાઈફ એટલે શું થોડુંક મારી સમજણ પ્રમાણે...                       મિકેનિકલ લાઈફ એટલે ગુજરાતી માં યાંત્રિક જીવન... આપણી વર્તમાન આધુનિક જીવનશૈલી ટાઈમ ટેબલ સાથે સેટ થઈ ને ચાલી રહી છે... સવારે ઉઠવું, ફ્રેશ થઈ ઘરે

લોક-પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ સાથે ત્વરીત ઉકેલ માટે મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે અપાયું ઉપયોગી માર્ગદર્શન

Image
લોક-પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ સાથે ત્વરીત ઉકેલ માટે મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે અપાયું ઉપયોગી માર્ગદર્શન  🔶 જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષપદે આયોજન ભવન ભરૂચ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક ✍️ મનિષ કંસારા ભરૂચઃ ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ આજે ભરૂચના આયોજન ભવન ખાતે જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ અને જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીઓ સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ સાથે યોજેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, વગેરેની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના તાકીદે ઉકેલ માંગી લેતા મહત્વના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવાની સાથે કેટલાંક પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચના આપવાની સાથે જે તે પ્રશ્નોના સુચારા ઉકેલ મ