Posts

Showing posts from November, 2021

ગુડ ટાઇમ્સ ફાઉન્ડેશન ની યુવા ટીમનું પ્રેરણાત્મક સેવાકાર્ય

Image
‘બા તે બા’ બીજા બધા વગડાના વા...  ગુડ ટાઇમ્સ ફાઉન્ડેશન ની યુવા ટીમનું પ્રેરણાત્મક સેવાકાર્ય  ✍️ મનિષ કંસારા   નિરાધારોનું છેલ્લુ આશ્રય સ્થાન એટલે ‘બા' નું ઘર વૃધ્ધાશ્રમ, રાજકોટ ખાતે સ્વ નીરવભાઇ ભાખર દ્વારા તેમની સેવાકીય વિચારધારા મુજબ સ્થાપેલ ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશનના પ્રમુખ  ઉત્તમભાઇ વેકરીયા, ઉપપ્રમુખ જયભાઈ વસોયા, મંત્રી જયભાઈ લીંબાસિયા અને ટ્રસ્ટીઓ દર્શિતાબેન વેકરીયા, રાહુલભાઈ ડોબરીયા, રાજભાઈ ટોપીયા, આકાશભાઈ આશરા, સર્થકભાઈ સંખવારા, નયનભાઈ  રૈયાણી, રવિભાઇ રામાણી, ભાવિન પોકર, નીરવભાઈ સાવલીયા, અને તેમની ટીમ દ્વારા બા નું ઘર વૃધ્ધાશ્રમ ના બહેનોને પોતાના હાથે રસોઈ બનાવી ભરપેટ ભોજન કરાવી આ તરવરિયા યુવાનોએ આજની જનરેશનને પોતાની વિકલી રજા કેવી રીતે સેલી બ્રેટ કરાવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.    આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ મેરજાએ કહ્યું કે આજે યુવાનો પોતાની આવક માંથી અમુક રકમ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વાપરે છે અને સાથે-સાથે પોતે જાતે શ્રમ કરી સેવાકાર્ય કરી પોતાની રજા મોજશોખને બદલે નિરાધારો સાથે વિતાવી, તેમને પોતાના દીકરા જેવો પ્રેમ આપી આજ જે કાર્ય કરેલ છે તેને અમો વંદન સહ બિર

છોટાઉદેપુર તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી નિષ્ઠાબેન સોલંકીએ પ્રથમ નંબર લાવી શાળાનું ગૌરવ વધાર્યું.

Image
છોટાઉદેપુર તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી નિષ્ઠાબેન સોલંકીએ પ્રથમ નંબર લાવી શાળાનું ગૌરવ વધાર્યું ✍️ ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર.     બોડેલી તપોવન વિદ્યાલય ધો-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિષ્ઠાબેન સોલંકી નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી.   બરોડા ડેરી દ્વારા શ્વેત ક્રાંતિનાં પ્રણેતા ર્ડા વર્ગીસ કુરિયન ની ૧૦૦ મી  જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.    આ ઉજવણી અંતર્ગત છોટાઉદપુર અને વડોદરા જીલ્લા (સંયુક્ત) નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ, તેમાં નિષ્ઠાબેન સોલંકીએ પ્રથમ નંબર લાવી બોડેલી તપોવન વિદ્યાલય શાળાનું ગૌરવ વધાર્યું, તે બદલ શાળાના મુખ્ય ટ્રસ્ટી વસંતાબા સોલંકી તથા શાળા પરીવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓને છોડી ને આવતી ઈલેક્ટ્રોનિક રીક્ષાને નવાગામ પાસે નડ્યો અકસ્માત

Image
સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓને છોડી ને આવતી ઈલેક્ટ્રોનિક રીક્ષાને નવાગામ પાસે નડ્યો અકસ્માત રીક્ષા નવાગામ પાસે રોડની સાઈડના ખાડા માં ઉતરી જતા રીક્ષા ચાલક યુવતી નો આબાદ બચાવ સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં ✍️ ભરત શાહ દ્વારા રાજપીપળા: સ્ટેચ્યુ ઑફ યુનિટી અને કેવડીયા વચ્ચે દોડતી ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ને શુક્રવારે બપોરે નવાગામ પાસે અકસ્માત થતાં રીક્ષા મુખ્ય માર્ગ નીચે ખાબકી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી.     પ્રાપ્ત માહિતી અનુસાર કોઠી ગામની એક મહિલા રીક્ષા ચાલક પોતાની રીક્ષામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા આવેલ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે છોડી કેવડીયા તરફ પરત ફરી રહી હતી ત્યારે નવાગામ પાસે પહોંચતા અચાનકજ પોતાના વાહન ઉપર કંટ્રોલ ગુમાવતાં મુખ્ય માર્ગ ઉપર થી રીક્ષા રોડ ની સાઈડ ઉપર દશેક ફૂટ જેટલી નીચે  ઉતરી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં નજીકનાં જ કોઠી ગામની  રીક્ષા ચાલક યુવતી નો આબાદ બચાવ થયો હતો.   અકસ્માત બાદ ગ્રામજનો સહિત અવર-જવર કરતાં લોકો એકઠા થયાં હતાં અને બચાવ ની કામગીરી હાથ ધરી રિક્ષા ચાલક યુવતીને રિક્ષા માથી બહાર કાઢી હતી. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

કુલપતિશ્રીની નિમણુંકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી ? : ડૉ. મનિષ દોશી

Image
કુલપતિશ્રીની નિમણુંકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી ? : ડૉ. મનિષ દોશી 🔶યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ લઈ રહ્યાં છે તો પછી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ કુલપતિશ્રીની નિમણુંક કેમ કરાતી નથી ? : ડૉ. મનિષ દોશી 🔶રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં છેલ્લા ૧૫ વર્ષમાં થયેલ ગેરરીતિ, કૌભાંડો, નિમણુંકોમાં અનિયમિતતા અને લાગવગશાહી અંગે રાજ્ય સરકાર તટસ્થ તપાસ કરાવે : ડૉ. મનિષ દોશી ✍️ મનિષ કંસારા રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં મોટા પાયે ગેરરીતિ, નાણાંકીય ગડબડી, અનિયમિતતા અને મોટા પાયે પ્રોફેસરો - કર્મચારીઓની નિમણુંકમાં લાગવગશાહી, ભ્રષ્ટાચારની વ્યાપક સિલસિલાબંધ હકીકતો - કૌભાંડની વણઝાર પછી રાજ્ય સરકારે એક પત્ર દ્વારા યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ અને સત્તાધીશોની સત્તામાં કાપ મુકવાના નિર્ણય અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો સરકારી યુનિવર્સિટીઓમાં નાણાંકીય અને ભરતી સહિતના મુદ્દા અંગે આદેશાત્મક પત્ર જ ભાજપ

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લાલકૃષ્ણ અડ્ડવાણીના 94 માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી

Image
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લાલકૃષ્ણ અડ્ડવાણીના 94 માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી ✍️ મનિષ કંસારા તા.08/11/2021-સોમવાર શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી એલ કે અડ્ડવાણી ના 94‘ માં જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજરશ્રી દ્વારા કરવામાં આવેલ. તેમજ  શ્રીઅડ્ડવાણીના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરવામાં આવેલ. આજરોજ સાંજે ભગવાન સોમનાથ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવનાર છે.   ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, તથા પુજા સામગ્રી અર્પણ કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી તેઓનુ સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

દીવાળી, નવાં વર્ષ તેમજ ભાઈબીજ ના તહેવારોમાં 108 ની ઇમર્જન્સી કેસોમાં ઉછાળો

Image
દીવાળી, નવાં વર્ષ તેમજ ભાઈબીજ ના તહેવારોમાં 108 ની ઇમર્જન્સી કેસોમાં ઉછાળો   ભરૂચ: 108 ઇમર્જન્સી સેવા સતત 24/7 કાર્યરત નિઃશુલ્ક સર્વિસ છે. જે નાગરિકો ને સમય સર 108 એમ્બ્યુલન્સમા દર્દી ને સારવાર ની સાથે સાથે દર્દી ને હોસ્પિટલમા ખસેડવા ની સુવિધા પુરી પાડવા સતત કાર્યરત રહે છે.     દીવાળી જેવા મોટા તહેવારમા જ્યારે બધા નાગરિકો પોતાના ઘરે પોતાના પરિવાર સાથે દીવાળી ના તહેવારો ઉજવે છે, ત્યારે 108 ના બધા કર્મચારી ઓ એ ફરજ પર હાજર રહી ફરજ ના સ્થળ પર રંગોળી બનાવી, તેમજ દિવાળી ના દિવસે ફરજ પર જ ફટાકડા ફોડી દિવાળી ની ઉજવણી કરી હતી, દિવાળી દરમિયાન કોઈ પણ કર્મચારી રજા પર ગયા વગર સતત ફરજ પર હાજર રહ્યાં હતાં, જેના બદલ 108 ના તમામ કર્મચારી ઓ માટે એક સલામ તો બને છે.   દીવાળી, નવું વર્ષ અને ભાઈબીજ જેવા મુખ્ય તહેવાર ના દિવસોમાં લોકો ખરીદી માટે તેમજ સગા સંભંધી ને મળવા માટે ટ્રાવેલિંગ કરતા હોય છે અને તેવા સમયે પોતાની અથવા બીજાની ભૂલ થી અકસ્માતો સર્જાય છે. આવી પરિસ્થિતિઓ ને પહોંચી વળવા માટે 108 ઇમર્જન્સી સર્વિસ ખડે પગે રહી લોકોના જીવ બચાવ્યા હતાં.   ચાલુ દિવસો કરતાં અકસ્માતનાં (વાહન સાથે / વાહન સિવાય ) કેસોમાં

ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમર્જન્સીના કર્મચારીઓએ ફરજ પર હાજર રહીને દિવાળી મનાવી

Image
ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમર્જન્સીના કર્મચારીઓએ ફરજ પર હાજર રહીને દિવાળી મનાવી તહેવારોમાં ઇમર્જન્સી સેવા સઘન બનાવવાનો શુભ આશય ✍️ ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ  રાજપારડી: વર્ષનાં અંતે આવતા દિવાળીના પર્વની સમગ્ર ભારતમાં ઉત્સાહથી ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે તહેવારોના દિવસો દરમિયાન ઇમર્જન્સી વધવાની શક્યતાઓ હોય છે. ઇમર્જન્સી સેવાઓ માટે ૧૦૮ ઇમર્જન્સી સેવા એક મહત્વની સેવા ગણાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમર્જન્સીના કર્મચારીઓએ પોતાની ફરજ પર રહીને દિવાળીનું પર્વ મનાવ્યુ હતું.     ભરૂચ જિલ્લાના ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા ૧૦૮ ના લોકેશન પર રંગોળી બનાવીને તેમજ દીપક પ્રગટાવીને દિવાળીનું પર્વ ચાલુ ફરજ પર  મનાવવામાં આવ્યું.  ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર  તથા ડિસ્ટ્રિક્ટ ઑફિસર અશોક મિસ્ત્રીના માર્ગદર્શન  હેઠળ ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા  દિવાળીના તહેવાર નિમિત્તે લોકોને ઇમર્જન્સીની સેવાઓ તરત મળી રહે તે માટે ફરજ પર હાજર રહીને દિવાળીનું પર્વ મનાવવામાં આવ્યુ હતુ. ૧૦૮ ના કર્મચારીઓેએ પોતાના પરિવારથી દૂર રહીને બીજા પરિવારોને દુ:ખ સહન ન કરવું પડે તે માટે ફરજ પર હાજર રહીને દિવાળી મન

તલોદરા ગામે રવજીભાઈ વસાવા દ્વારા ભાઈબીજ પર્વની અનોખી ઉજવણી

Image
તલોદરા ગામે રવજીભાઈ વસાવા દ્વારા ભાઈબીજ પર્વની અનોખી ઉજવણી ગામની ૧૨૧ જેટલી બહેનોને સાડી આપીને ભાઈબીજનો તહેવાર મનાવ્યો ✍️ ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ   રાજપારડી: દિવાળીની વિદાય બાદ શરું થતું નવું વર્ષ નવાં ઉત્સાહ અને ઉમંગથી શરું થતું હોય છે. નવા વર્ષની શરુઆતનો બીજો દિવસ એટલે ભાઈબીજ. ભાઈબીજ નું પર્વ એટલે રક્ષાબંધનની જેમજ ભાઈ-બહેન વચ્ચેનાં સ્નેહ અને લાગણીનું પર્વ. ભાઈબીજના દિવસે ભાઈ પોતાની બહેનોને યથાયોગ્ય ભેટ આપીને પર્વને સ્નેહમય બનાવતો હોય છે. સમગ્ર ભારતમાં ભાાઈબીજ નું પર્વ ઉમંગભેર મનાવાતુ હોય છે.    ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ભાજપા અગ્રણી રવજીભાઈ વસાવાએ ભાઈબીજના પર્વને અનોખી રીતે મનાવ્યું હતુ. આ પ્રસંગે તેમના દ્વારા ગામની ૧૨૧ જેટલી બહેનોને સાડીની ભેટ આપવામાં આવી હતી. ભાઈબીજના આ સાડી વિતરણ કાર્યક્રમમાં રવજીભાઈ વસાવાની સાથે યુવા કાર્યકર દિનેશભાઈ વસાવા હાજર રહ્યાં હતાં. ગામની બહેનોએ સાડીની ભેટ સહર્ષ સ્વિકારીને તેમને પર્વની શુભેચ્છા પાઠવી હતી. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳