Posts

Showing posts from November, 2023

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"

Image
વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે  "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"   🔶શ્રી સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદભુત અમૃત વર્ષા યોગ રચાયો, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા 🔶વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ" 🔶ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક 🔶આ સંયોગના દર્શન કરવા દેશ-વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ પહોંચે છે Video   ગુજરાત ની વાચા મનિષ કંસારા દ્વારા  સોમનાથ: કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીનાં 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે. જેમાં વર્ષમાં માત્ર 1(એક)જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ, શ્રી સોમનાથ મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ, અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.     માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આ

ખંડણીખોરોનાં સકંજામાંથી અપહ્યુત બાળાને સલામત રીતે મુક્ત કરાવતી નવસારી પોલીસ

Image
ખંડણીખોરોનાં સકંજામાંથી અપહ્યુત બાળાને સલામત રીતે મુક્ત કરાવતી નવસારી પોલીસ સાર- સગીર બાળાનું અપહરણ કરી ખંડણી માંગનાર ખંડણીખોરોને દિલધડક ઓપરેશન કરી ચાર રાજ્યોમાં હોટ પરસ્યુટ(પીછો) કરી ૪૮ કલાકમાં દિલ્હી- લખનઉથી દબોચી લઇ ખંડણીખોર ઓનાં સકંજામાંથી અપહ્યુત બાળાને સલામત રીતે મુક્ત કરાવતી નવસારી પોલીસ ગુજરાત ની વાચા  મનિષ કંસારા દ્વારા  નવસારી : નવસારી જિલ્લાનાં ગણદેવી પો.સ્ટે.માં સગીર બાળાનું અપહરણ કરી ખંડણી માંગવા અંગેનો બનાવ બનતા તાત્કાલિક ગુનો દાખલ કરી પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ, સુરતનાં ઓએ આપેલ સુચના અન્વયે સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, નવસારી નાઓએ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ કોઇપણ ભોગે અપહ્યુત બાળાને કોઇપણ નુક્શાન ન થાય તે રીતે ત્વરિત શોધી કાઢી અપહરણકારોને દબોચી લેવા અંગત રસ લઇ જાતેથી જુદી જુદી ટીમો બનાવી ગુનાની તપાસ ડી. એસ. કોરાટ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નવસારી નાઓને સોંપી સતત જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.     આ કામનાં ફરિયાદીની સગીર વયની દિકરી ઉં.વ.૧૪ નું અજાણ્યા ઈસમો દ્વારા તા.૧૦/૧૧/૨૦૨૩ નાં રોજ ગણદેવીથી અપહરણ કરી ફરિયાદીને વોટ્સએપ કોલ કરી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા તા.૧૧/૧૧/૨