ઈનરવ્હીલ ક્લબ ઓફ- ભરૂચ દ્વારા IIID તથા નેરોલેક પેઇન્ટના સહયોગથી મેઘધનુષી ભરૂચ કાર્યક્રમનો શુભારંભ કરાયો

ઈનરવ્હીલ ક્લબ ઓફ- ભરૂચ દ્વારા IIID તથા નેરોલેક પેઇન્ટના સહયોગથી મેઘધનુષી ભરૂચ કાર્યક્રમનો શુભારંભ કરાયો

✍️ મનિષ કંસારા

 ભરૂચ: ઈનરવ્હિલ કલબ ઓફ- ભરૂચ દ્વારા ભરૂચ ખાતે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામા આવે છે. જે અંતર્ગત ઈનરવ્હિલ કલબ ઓફ- ભરૂચના પ્રમુખ અને પ્રોજેક્ટ ચેરમેન રીઝવાના તલકીન ઝમીનદારને એક વિચાર આવ્યો કે પછાત વિસ્તારને શણગારવો કે રંગરોગાન કરવાનો વિચાર કરવો અને સ્થળ પર પહોંચી તેનો અમલ કરવો એ એક ઐતિહાસિક ઘટના છે. આ રચનાત્મક પરીવર્તનનો એટલે વિચાર આવ્યો કે ઈનરવ્હિલ ક્લબ ઓફ- ભરૂચ જ્યારે સમાજમાં તમામ વિસ્તારોનાં અને તમામ વર્ગોને વિકાસના વિવિધ આયામો સાથે જોડતા હોય તો આ ગરીબોના ઘરનું સુશોભન કેમ ન કરી શકાય. સ્લમ વિસ્તારોને સ્વચ્છ હાઈજેનીક અને ડેકોરેટીવ આપણે કેમ બનાવી ન શકીએ આ વિચાર સાથે ઈનરવ્હિલ ક્લબે નેરોલેક પેઇન્ટ ના કંસાઈ (સીએસઆર) પ્રોજેક્ટ દ્વારા અમલ કરવા માટે તેના પ્લાન્ટ હેડ રાજેશ પટેલનો સંપર્ક કરી આ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું. આ પ્રોજેક્ટ માટે IIID ભરૂચના ચેરપર્સન મૈત્રી કલાપી બુચનો સહયોગ પ્રાપ્ત થયો અને IIID ના વિદ્યાર્થિઓની ડિઝાઈન અંગેની મહેનત અને આયોજનબદ્ધ કામગીરી સાથે આજે આ મેઘધનુષી પ્રોજેક્ટ નો શુભારંભ થઈ રહ્યો છે. 

  આ કાર્યક્રમની મુખ્ય મહેમાન પદેથી દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય, ભરૂચના ઓનાં દ્વારા શુભ શરૂઆત કરાઈ. આ અંગે શ્રી દત્ત મંદિર પાસેનો સ્લમ વિસ્તાર ફુરજા ચાર રસ્તા પાસેનો પસંદ કરાયો છે. સ્લમ વિસ્તારનાં સુશોભન માટે IIID ના વિદ્યાર્થિઓ કામગીરી કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સહુ સહયોગી સંસ્થાઓ અને સ્થાનિક નાગરીકો અને રહેવાસીઓનો વિશેષ આભાર માનવામાં આવે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા અંગે પૂરતો સહકાર આપવામાં આવેલ હતો.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"