Posts

Showing posts from December, 2023

રાજ્યવ્યાપી "સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાનાં આયોજનમાં ભરૂચ બનશે ભાગીદાર

Image
રાજ્યવ્યાપી "સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાનાં આયોજનમાં ભરૂચ બનશે ભાગીદાર ભરૂચની જે પી કોલેજ અને આઇકોનિક સ્થળ શુકલર્તીથ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે ″સૂર્ય નમસ્કાર અભિયાન″ અનુલક્ષીને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ પત્રકાર પરિષદ યોજી મનિષ કંસારા દ્વારા  ભરૂચ: જિલ્લા કલેકટર તુષારભાઈ સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર - મહાભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં ૦૧ ડિસેમ્બર-૨૦૨૩થી શરૂ કરવામાં આવેલું આ અભિયાન તા.૧ જાન્યુઆરી સુધી ચાલશે. તા.૧ જાન્યુઆરીના રાજ્યભરમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક રાજ્ય કક્ષાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા  તથા અન્ય ૫૦ સ્થળો પરથી વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડ નાં આયોજનમાં ભરૂચના ૨ સ્થળો ભાગીદારી

કોરોનાનો કહેર યથાવત કેટલા કેસ નોંધાયા અને કેટલા મોત થયા... જાણો...

Image
કોરોનાનો કહેર યથાવત  કેટલા કેસ નોંધાયા અને કેટલા મોત થયા... જાણો... શિયાળાની વધતી જતી ઠંડી વચ્ચે ભારતમાં કોરોના વાયરસ વધુ ગંભીર બની રહ્યો છે. દેશમાં જેમ જેમ ઠંડી વધી રહી છે, કોરોના વાયરસનાં નવા કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 692 નવા કેસ નોંધાયા છે, જેનાંથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4097 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોમાં કોવિડ-19ને કારણે કુલ 6 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કારણે બે લોકોનાં મોત થયા છે, જ્યારે દિલ્હી, કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું છે.    કોરોના નાં નવા સબ-વેરિઅન્ટ JN.1 વિશે વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 110 નવા કેસ નોંધાયા છે. બુધવારે પ્રથમ વખત દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં JN.1 સબ વેરિઅન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 3 અન

નવા કાંસિયા ગામે જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી પાડતી અંકલેશ્વર શહેર 'બી' ડિવિઝન પોલીસ

Image
  નવા કાંસિયા ગામે જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી પાડતી અંકલેશ્વર શહેર 'બી' ડિવિઝન પોલીસ   મનિષ કંસારા દ્વારા  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક અંક્લેશ્વર ડિવિઝન નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિ./જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વા સુચના આપેલ.‌    જે અનુસંઘાને પોલીસ ઈન્સ્પેક્ટર વી. કે. ભુતિયા અંક્લેશ્વર શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર 'બી' ડિવિઝન પો.સ્ટે.ના પોલીસ માણસો પેટ્રોલીંગમાં દરમિયાન અ.હે.કો. ધર્મેન્દ્રકુમાર બાબુભાઈ તથા અ.હે.કો. સહદેવસિંહ ખુમાનસિંહ નાઓને મળેલ બાતમી આધારે નવા કાંસિયા ગામે મોદી ફળીયામાંથી ખુલ્લી જગ્યામાંથી કુલ ત્રણ (૧) નરેશભાઈ જેસીંગભાઈ વસાવા ઉં.વ.૩૬ ૨હે.નવા કાંસીયા, ભગત ફળીયું, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૨) મુકેશભાઈ બાલુભાઈ પાટણવાડીયા ઉં.વ.૩૯ ૨હે.નવા કાંસિયા, મોદી ફળીયું, તા.અંક્લેશ્વ૨, જિ.ભરૂચ. (૩) ભાવેશભાઈ ભારસ્ક૨ભાઈ બ્રહ્મભટ્ટ ઉં.વ.૩૨ ૨હે.નવા કાંસીયા, મોદી ફળીયું, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. નામનાં

ઝઘડિયા તાલુકાનાં રઝલવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

Image
ઝઘડિયા તાલુકાનાં રઝલવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ મનિષ કંસારા દ્વારા  ભરૂચ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાનાં માનવી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. જેને ભરૂચ જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે.     ઝઘડિયા તાલુકાનાં રઝલવાડા ગામ ખાતે ધારાસભ્ય રીતેષ વસાવા નાં અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્યએ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.     આ પ્રસંગે મહાનુભાવોનાં હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી જુબાની" થીમ અન્વયે પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી. ગ્રામજનોએ રથનાં માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. ગ્રામજનોએ વિકસિત ભારતનાં નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાનાં શપથ લીધા હતા.     આ તકે ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી

વર્ક-ફ્રોમ-હોમ કૌભાંડમાં 14 લાખ રૂપિયા ગુમાવ્યા: તે શું છે અને કેવી રીતે સુરક્ષિત રહેવુ

Image
વર્ક-ફ્રોમ-હોમ કૌભાંડમાં 14 લાખ રૂપિયા ગુમાવ્યા:  તે શું છે અને કેવી રીતે સુરક્ષિત રહેવુ ગુજરાત ની વાચા  પંચકુલાના રહેવાસીને તાજેતરમાં ઓનલાઈન વર્ક-ફ્રોમ-હોમ કૌભાંડનો ભોગ બનવાને કારણે 14 લાખ રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો હતો. એક ખાનગી હોસ્પિટલના IT એડમિનિસ્ટ્રેટર, એ ખુલાસો કર્યો કે એક વ્યક્તિએ WhatsApp દ્વારા તેમનો સંપર્ક કર્યો, પેજને લાઈક કરવા, લિંક્સ પર ક્લિક કરીને અને વીડિયો જોવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થઈને વધારાની આવક મેળવવાની તકનો પ્રસ્તાવ મૂક્યો. ઓફર કરેલા કામથી રસપૂર્વક  તે સંમત થયો અને તેને સભ્યપદ અને દસ્તાવેજીકરણ ફી માટે રૂ. 90,000 જમા કરાવવા સૂચના આપવામાં આવી.     તેમણે સોંપાયેલ કાર્યો પૂર્ણ કર્યા હોવા છતાં, અપરાધીએ ટેક્સ, GST અને અન્ય ફી જેવા વિવિધ ચાર્જીસને ટાંકીને તેની સાથે વધારાનાં રૂ. 13 લાખની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ, તેમને પોતાને બીજા પક્ષ તરફથી કોઈ સંદેશાવ્યવહાર મળ્યો ન હતો અને આખરે સમજાયું કે તે એક કૌભાંડનો ભોગ બન્યો છે. વર્ક-ફ્રોમ-હોમ કૌભાંડો વધી રહ્યા છે અને તમારે આ નવા પ્રકારની છેતરપિંડીથી સતર્ક રહેવાની અને તમારી જાતને બચાવવાની જરૂર છે.  વર્ક-ફ્રોમ-હોમ કૌભાંડ શું

ગુમ થયા છે

Image
ગુમ થયા છે   ભરૂચ: ઉપરના ફોટાવાળો છોકરો નામે સુરેશ ચોધરી ઉમર વર્ષ 14 જે સ્કૂલ યુનિફોર્મ લાઈટ બ્લ્યુ શર્ટ અને ડાર્ક બ્લ્યુ પેન્ટ પહેરી સવારે સાત વાગ્યે જીએનએફસી શાળાએ ગયા બાદ પરત ફરેલ નથી જેની ભાળ મળે ભરૂચ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ નમ્બર 02642223303 ઉપર તાત્કાલિક જાણ કરવી. #gujaratnivacha  #manishkansara #bharuch #Police #પોલીસ Gujarat Police  #gujarat  Gujarat Ni Vaacha  gujaratnivaacha@gmail.com Bharuch Police