Posts

Showing posts from August, 2022

જંબુસરની જે એમ શાહ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

Image
જંબુસરની જે એમ શાહ સાયન્સ કોલેજ  ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી   ૨૧ મી સદીમાં આદિવાસી સમાજની દિકરી આદિવાસી વિસ્તારમાં જ ભણીને દેશનાં સર્વોચ્ય નાગરિક બનવાના સપના સાકાર કરી શકે છે-:જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું કરાયુ અભિવાદન જિલ્લા કલેક્ટરે ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી કલેક્ટરને અર્પણ કરાયો જિલ્લામાં "કૃષિ ઉત્કર્ષ" પહેલ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે જિલ્લાનાં ૧૦ હજાર ખેડુતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ✍️ મનિષ કંસારા ભરૂચઃ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાનાં જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને  જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.       જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ આ પર્વે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આઝાદીનાં જંગમાં ભારતની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ધર્મભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું

Image
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ધર્મભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું સોમનાથ આવતા ભક્તોને થઈ રહ્યો છે શિવભક્તિ સાથે દેશભક્તિનો અનુભવ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના- માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થ દેશભક્તિની ગંગોત્રી બન્યું ✍️ મનિષ કંસારા સોમનાથ: દેશની આઝાદીના 75મા વર્ષની ખુશીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર સમગ્ર દેશ આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ યાત્રાધામમાં આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને આત્મસાત કરવામાં આવ્યું છે. સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં દરેક ભવન પર તિરંગો લહેરાઈ રહ્યો છે. ધર્મભક્તિ અર્થે આવતા તમામ યાત્રિકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે.       દેશનાં પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં રાષ્ટ્રીય ભાવના ની નવી લહેર દોડી છે. 12 માર્ચ 2021 ના ​​રોજ, જ્યારે પ્રધાનમંત્રી એ રાષ્ટ્રને સંબોધિત કર્યું અને આઝાદી ના અમૃત પર્વની ઉજવણી કરવાનું આહ્વાન કર્યું, ત્યારે સમગ્ર રાષ્ટ્ર તેમના પ્રેરણાત્મક માર્ગદર

નર્મદા જિલ્લાનાં પોલીસ જવાનોમાં ભળ્યો દેશભક્તિનો રંગ રાજપીપલા પોલીસ સ્ટેશનથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા નાયબ પોલીસ અધિક્ષક ચેતનાબેન ચૌધરી

Image
નર્મદા જિલ્લાનાં પોલીસ જવાનોમાં ભળ્યો દેશભક્તિનો રંગ રાજપીપલા પોલીસ સ્ટેશનથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા નાયબ પોલીસ અધિક્ષક ચેતનાબેન ચૌધરી  🔸રાષ્ટ્રની સૌથી મોટી તાકાત એ દેશની એકતા છે અને તેનો પરિચય આપ્યો રાજપીપલા નગરમાં  ૨૫૦ જવાનોની તિરંગા યાત્રાએ 🔸ખાખીની શાન અને તિરંગાના સન્માનને જાળવી પોલીસ જવાનોની ભવ્ય તિરંગા યાત્રાએ નગરમાં જમાવ્યું અનેરુ આકર્ષણ   ✍️ મનિષ કંસારા  રાજપીપલા: દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે, જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા” નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. જેને અનુલક્ષીને આજે રાજપીપલા નગરમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી ચેતનાબેન ચૌધરીના નેતૃત્વ હેઠળ અંદાજે ૨૫૦ થી વધુ પોલીસ જવાનો તિરંગા યાત્રામાં જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. ખાખીની શાન અને તિરંગાના સન્માન જાળવવા સાથેની પોલીસ જવાનોની આ ભવ્ય તિરંગા યાત્રાએ નગરમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.       “હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા જિલ્લાનાં બાળકો-મહિલાઓ, યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુ