સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે દિલ્હી તથા લદાખ નાં મહામહિમ રાજ્યપાલ

સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે દિલ્હી તથા લદાખ નાં મહામહિમ રાજ્યપાલ

પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન ગંગાજળ અભિષેક કર્યા...


સોમનાથની પ્રવર્તમાન યાત્રી સુવિધાથી માહિતગાર થયા હતા...


ગુજરાત ની વાચા

મનિષ કંસારા દ્વારા 

દિલ્હીનાં મહામહિમ રાજ્યપાલ વિનયકુમાર તથા લદાખ નાં મહામહિમ રાજ્યપાલ બી. ડી. મિશ્રા પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતાં, 


  શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનું વીઆઇપી ગેસ્ટહાઉસ ખાતે સ્વાગત કરવામાં આવેલ હતું. 




સ્વાગત બાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચેલ જ્યાં તેઓએ પુજા સામગ્રી પુષ્પો, બિલ્વપત્રો પુષ્પમાળા સોમનાથ મહાદેવને અર્પણ કરી હતી; સાથે જ મહામહિમ દ્વારા  સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવામાં આવેલ હતો. 


   સોમનાથ ટ્રસ્ટ નાં પુજારી દ્વારા ઉપવસ્ત્રથી તથા જનરલ મેનેજર દ્વારા સ્મૃતિભેટ આપી મહામહિમ રાજ્યપાલ સહિત મહેમાનો નું સન્માન કરવામાં આવેલ. 

   સોમનાથ મંદિર પરિસર પાસે આવેલ સમુદ્ર દર્શન પથ, દક્ષિણ ધ્રુવ બાણ સ્થંભ, સોમનાથ મંદિર નાં સમરાંગણ પર લાગેલા સુવર્ણ કળશો સહિતનાં યાત્રી સેવા તથા મંદિર વિકાસનાં પ્રોજેક્ટની તેઓએ માહિતી  મેળવી હતી.

#gujaratnivacha

gujaratnivaacha@gmail.com

🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા