Posts

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

Image
ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું   ચક્રવાતી તોફાન 'બિપરજોય'ની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે.  મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જ્યારે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. તે જ સમયે, ગુજરાતમાં પણ આ વાવાઝોડું તબાહી સર્જી શકે તેમ છે. (સાયક્લોન બિપરજોય). ચક્રવાત બિપરજોય અપડેટઃ દેશનાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર ચક્રવાતી તોફાનનો ખતરો છે.  ભારતીય હવામાન વિભાગે ચક્રવાતી તોફાન 'બિપરજોય'ને લઈને ચેતવણી જાહેર કરી છે.  IMD. અગાઉ રવિવારે એવું કહેવામાં આવ્યું હતું કે તે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન (VSCS) માં ફેરવાઈ જશે અને આખરે થયું. બિપરજોય ખૂબ જ ખતરનાક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને હવે તોફાન ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે.   મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ  ચક્રવાતી તોફાન 'બિપરજોય'ની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જ્યારે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. તે જ સમયે, ગુજરાતમાં પણ આ વાવાઝોડું તબાહી સર્જી શકે છે (સાયક્લોન બિપરજોય), જેને ધ્યા...

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીનાં સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

Image
  શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીનાં સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ 🔶 શ્રી સાંદિપની વિદ્યાનિકેતન નાં ઋષિકુમારોએ સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કર્યા 🔶ભાદરવા માસમાં શ્રી ગણેશ નવરાત્રના સમાપન સુધીમાં સવા લાખ શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠનું પઠન થશે 🔶રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો ક્રમશ મહા અનુષ્ઠાનમાં પાઠ કરશે 🔶 દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કામ કરતા સોમનાથ ટ્રસ્ટનું જનકલ્યાણની કામનાં સાથે શ્રી ગણેશ અનુષ્ઠાન મનિષ કંસારા દ્વારા સોમનાથ:   પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે પરંતું સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીનાં પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હરવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશ નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં પ્રારંભ થયું છે. શ્રી ગણેશની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષ નાં સવાલક્ષ પાઠ ભાદરવ...

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર ઉત્પત્તિ નાં સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરાઈ

Image
આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર ઉત્પત્તિ નાં સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરાઈ 🔸ડેન્ગ્યુને સામાન્ય તાવ માની સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ વધી શકે : ડૉ. જે. એસ. દુલેરા- જિલ્લા આરોગ્ય અધિકારી 🔸ડેન્ગ્યુની સારવાર માટે કોઈ ખાસ દવા કે રસી ઉપલબ્ધ નથી પરંતુ સારવાર જ એક માત્ર ઉપાય મનિષ કંસારા દ્વારા ભરૂચ: દર વર્ષે ૧૬ મે ના રોજ “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”ની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૩માં આ રોગની નાબૂદી માટે ‘‘Harness partnership to defeat Dengue’’ થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડેન્ગ્યુનો તાવ પીડાદાયક છે. જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ પણ વધી શકે છે.       ડેન્ગ્યુનો તાવ એ એક પીડાદાયક અને મચ્છરજન્ય રોગ છે. મચ્છરની વિશેષ પ્રજાતિ એડીસ પ્રજાતિઓને કારણે ફેલાય છે. આ મચ્છરો મેલેરિયાના વાઇરસનું વહન કરે છે જે મનુષ્યમાં મચ્છરજન્ય બીમારીનું કારણ બને છે. ઘણીવાર લોકોને ખબર પણ નથી પડતી કે આ તાવ...

ઓનલાઈન વિગતો શેર કરવી ખૂબ જ ખતરનાક છે, જો તમે ધ્યાન નહીં આપો, તો તમે નુકસાનને રોકી શકશો નહીં, જાણોઑનલાઇન વિગતો શેર કરવાની ટિપ્સ

Image
ઓનલાઈન વિગતો શેર કરવી ખૂબ જ ખતરનાક છે, જો તમે ધ્યાન નહીં આપો, તો તમે નુકસાનને રોકી શકશો નહીં જાણો ઑનલાઇન વિગતો શેર કરવાની ટિપ્સ    ઓનલાઈન વિગતો શેર કરવી ખૂબ જ ખતરનાક છે, જો તમે ધ્યાન નહીં આપો, તો તમે નુકસાનને રોકી શકશો નહીં ઑનલાઇન વિગતો શેર કરવાની ટિપ્સ: જો તમે ડેટા અને વિગતો ઑનલાઇન શેર કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો. આજકાલ તમામ કામ ઓનલાઈન થઈ ગયા છે.  ખરીદી કરવી હોય કે કોઈને ચૂકવણી કરવી હોય, ઓનલાઈન કામ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.  આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં વિન્ડો શોપિંગ ક્યાં કરી શકાય છે, તો આ કામ ઓનલાઈન કરવું પડશે અને હવે તે જેટલું સરળ અને અનુકૂળ છે તેટલું જ જોખમી પણ છે. જો તમે ઓનલાઈન શોપિંગ, પેમેન્ટ, જોબ ઓફર વગેરે માટે તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરો છો તો તમને ભારે નુકસાન થઈ શકે છે.  આવો જાણીએ તેમના વિશે. ઑનલાઇન ખરીદી: જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.  ઘણી વખત તમે વેબસાઇટ દ્વારા ખરીદી કરો છો અને ત્યાં તમારી કેટલીક અંગત વિગતો આપો છો.  ઘણા લોકો ક્...

દઢાલ ગામે ખાડી ફળીયામાં આંક ફરકનો જુગાર રમતા ૪ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Image
દઢાલ ગામે ખાડી ફળીયામાં આંક ફરકનો જુગાર રમતા ૪ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ✍️ મનિષ કંસારા દ્વારા #gujaratnivacha  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ ડો. લીનાબેન પાટીલ નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહિ/જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.     પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ એલ.સી.બી. ભરૂચ નાઓ નાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ/જુગાર નાં કેસ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન આજ રોજ જે. એન. ભરવાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ભરૂચના ઓ ટીમ સાથે અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન મળેલ બાતમી આધારે દઢાલ ગામે ખાડી ફળીયામાં આંક ફરક નાં જુગાર અંગે સફળ રેઇડ કરી અંગજડતી નાં રોકડા મળી કુલ કિં.રૂ. ૧૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ૪ આરોપીને ઝડપી પ...

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય શ્રમ દિવસ અંતર્ગત આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલિમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈ મશીનો અર્પણ કરાયા

Image
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય શ્રમ દિવસ અંતર્ગત આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલિમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈ મશીનો અર્પણ કરાયા ✍️ મનિષ કંસારા દ્વારા #gujaratnivacha ભરૂચ: સીએસઆર પ્રોગ્રામ હેઠળ ડેક્કન ફાઈન કેમીક્લ્સ લિમિટેડ દ્વારા ભરૂચની સુપ્રસિદ્ધ સ્કિલ ટ્રેંનિગ સંસ્થા જન શિક્ષણ સંસ્થાનનાં માધ્યમથી ભરૂચના પશ્ચિમ વિસ્તારમા આવેલ માછી ખારવા સમાજની બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.      આ તાલીમ કાર્યક્રમમાં ૪૦ બહેનોએ સંતોષકારક તાલીમ પૂર્ણ કરેલ છે. તમામ બેહેનોને ડેક્કન ફાઈન કેમીક્લ્સ લિમિટેડ દ્વારા ફુલ શટલનાં પ્રોફેસનલ સીલાઈ મશીન વિનામૂલ્યે અર્પણ કરી બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે અનેરી તક પૂરી પાડી છે.       ગુજરાત સ્થાપના દિન તેમજ રાષ્ટ્રીય મજૂર દિવસ અંતર્ગત મહાનુભાવોનાં હસ્તે બહેનોને પ્રમાણપત્ર તેમજ સિલાઈ મશીન સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરનાં સામાજીક આગેવાન ઈન્દિરાબેન રાજ, જન શિક્ષણ સંસ્થાનનાં નિયામક ઝયનુલ સૈયદ, ડેક્કન ફાઈન કેમ...

ભરૂચ પોલીસ દ્વારા "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

Image
  ભરૂચ પોલીસ દ્વારા "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું નબીપુર હાઇવે પર રઝળતા ૬૦ જેટલા મુસાફરોને પોતાના વતન(ઉત્તરપ્રદેશ) પહોંચાડવાની વ્યવસ્થા કરી આપતી ભરૂચ પોલીસ ✍️ મનિષ કંસારા  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી પોલીસ પ્રજાનો મિત્ર છે જે અભિગમ લોકોમાં કેળવાય તેવા કાર્યો કરવા સુચના મળેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક સી. કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે.  રસ્તે રઝળતા મુસાફરો     પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરી નબીપુર પો.સ્ટે. નાઓ દ્વારા ઉપરોક્ત સુચનાઓ બાબતે આજરોજ સુરતથી ખાનગી લક્ઝરી બસ દ્વારા પોતાના વતન પ્રતાપગઢ(ઉત્તરપ્રદેશ) જઇ રહેલા ૬૦ જેટલા મુસાફરોને ને.હા.નં.૪૮ હાઇવે ઉપર નબીપુર પાસે આવેલી પ્રિન્સ હોટેલ ઉપર બસનાં ડ્રાઇવર અને કંડક્ટરે મુસાફરોને જણાવેલ કે અહીંથી તમને લેવા માટે બીજી બસ આવે છે તેમ કહી મુસાફરોને બસમાંથી નીચે ઉતારીને જતાં રહેલ જેથી બધા મુસાફરો રસ્તે રઝળતા થઇ ગયેલ જેની જાણ ભરૂચ પોલીસ કંટ્રોલ મારફતે નબીપુર પ...