ભરૂચ જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત ૨,૨૫,૬૦૩ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ ૯૮.૬૪ % જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી

ભરૂચ જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત ૨,૨૫,૬૦૩ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ ૯૮.૬૪ % જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી


✍️ મનિષ કંસારા 

ભરૂચ: જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.18 સપ્ટેમ્બર 2022 થી 20 સપ્ટેમ્બર-2022 સુધી ત્રિ-દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિ- દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ૨,૨૮,૭૨૧ બાળકોને પોલિયો રસીકરણમાં આવરી લેવાનાં લક્ષ્યાંક સામે ત્રણ  દિવસમાં ૨,૨૫,૬૦૩  એટલે કે  ૯૮.૬૪ % જેટલા બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગનાં અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા પોલિયો બુથની મુલાકાત લઇ સ્વયં કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 


   અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨થી શરૂ થયેલ સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોના રસીના બે ટીપા પીવડાવવા કૂલ-૯૮૯ બુથ, ૫૭ ટ્રાન્ઝીટ ટીમ, ૩૧૨ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ઘરે ઘરે જઈને આ અભિયાનમાં તાલીમબદ્ધ ૪૨૧૬ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો આંગણવાડી વર્કર મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.  

   વધુમાં તા.૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના  કુલ બે દિવસ જી.આઇ.ડી.સી. અંક્લેશ્વર વિસ્તારનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં બાકી રહી ગયેલા બાળકોને પણ આવરી લેવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"