આકાશીય વિજળીથી બચવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર કરાઈ માર્ગદર્શિકા
ભરૂચ: વર્ષાઋતુમાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે, તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી, જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવા માટે નીચે મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે.
જ્યારે ઘરની અંદર હોવ ત્યારે
વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું,
તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો,
બારી-બારણા અને છતથી દુર રહેવું,
વિજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું,
ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું,
આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો
ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું.
આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું.
ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું.
મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છત વાળા મકાનમાં આશ્રય મેળવવો, મુસાફરી કરતા
હોય તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.
પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ.
ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો.
વિજળી પડવાની શકયતા:
જો તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.
વિજળી ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી.....
લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા.
મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો,
કરંટ લાગનાર વ્યકિત દાઝી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું. કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડૉકટરને જાણ કરવી.
દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાળવું નહીં.
અવકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.
આકાશી વિજળી થતી હોય તે દરમ્યાન રાખવાની સાવચેતીઓ:
વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે 30ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ, ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા 30મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો,
ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીગ રાખો. વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા
ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઈના તથા ભેજથી દૂર રાખવા
વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું.
તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.
શોર્ટસર્કીટથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવીએ સ્વીચ વાપરવી.
ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ. ઈલેક્ટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેક્ટ્રીક કામ કરાવવું,
ઈલેક્ટ્રીક કામ કરતી વખતે વિજળીના અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું,
ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું.
ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું.
તમામ ઈલેક્ટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા.
ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી.
ઈલેક્ટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment