નેશનલ લોક અદાલતનું તા.૨૬/૦૬/૨૦૨૨ રવિવારના રોજ આયોજન

       નેશનલ લોક અદાલતનું તા.૨૬/૦૬/૨૦૨૨ 

                 રવિવારના રોજ આયોજન

✍️ મનિષ કંસારા

 ભરૂચ: નામ.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જણાવવાનું કે, ભરૂચ મુકામે કાર્ય૨ત જીલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જીલ્લાની તમામ તાલુકા કોર્ટો દ્વારા પ્રત્યક્ષરૂપે હાજર રહી શકાય તેવી નેશનલ લોક અદાલતનું આયોજન કરેલ છે. 

      સદ૨ નેશનલ લોક અદાલતનું આયોજન તા. ૨૬/૦૬/૨૦૨૨ ને રવિવારના રોજ ક૨વામાં આવના૨ છે. આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો્, નેગોશીયેબલ એક્ટ મુજબનાં કેસો, ફક્ત નાણાંની વસુલાતનાં કેસો, વાહન અકસ્માતના વળત૨ નાં કેસો, લેબ૨ તકરારનાં કેસો, ઈલેક્ટ્રીસીટી તથા વોટરબીલને લગતાં કેસો, લગ્નવિષયક કેસો, જમીન સંપાદનનાં કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થાં અને નિવૃત્તિનાં લાભોને લગતાં કેસો, મહેસુલને લગતાં કેસો, અન્ય સીવીલ કેસો જેવાં કે, (ભાડાં, સુખાધિકારનાં અધિકા૨, મનાઈ હુકમ, વિશીષ્ટ પાલનનાં દાવાં વિગેરેનાં કેસો) તથા પ્રિ-લીટીગેશન, ઉપ૨ાંત ખોરાકીના કેસો મુકવામાં આવનાર છે. આ નેશનલ લોકઅદાલતમાં પક્ષકા૨ોએ તથા વિ. વકીલોએ સોશીયલ ડીસ્ટન્સીંગનાં સિધ્ધાંતનું પાલન કરી પ્રત્યક્ષ રીતે હાજર રહીને સમાધાન રાહે નેશનલ લોકઅદાલતમાં મુકવામાં આવેલ કેસો ફેંસલ કરવાની કાર્યવાહી ક૨વામાં આવશે. 

    આ અંગે વધુ માહિતી મેળવવા માટે અને પોતાનો કેસ નેશનલ લોક અદાલતમાં મુકાવવા માટે પક્ષકા૨ો, વિ. વકીલો , વિગે૨ે તેમનો કેસ જે વિસ્તા૨ ની કોર્ટમાં આવતો હોય, ત્યાંની કાનુની સેવા સંસ્થાનો નીચે મુજબનાં નંબ૨ો ૫૨ સંપર્ક કરી શકે છે.

                 
#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ