શ્રી સોમનાથજીના ભક્તો શ્રદ્ધાળુઓ માટે ખુશીનાં સમાચાર
✍️નરેન્દ્રભાઈ દવે
સોમનાથ મંદિર: કોવિડ-૧૯ મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઈડલાઈન મુજબ શ્રી સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની ઘટતી જતી કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી સરકારશ્રીની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી સાથે તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી શ્રી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
તેમજ શ્રી સોમનાથ મુખ્ય મંદિર તથા શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી શ્રી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે ૦૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીનો રહેશે. મંદિરની ત્રણેય આરતીમાં ચાલું આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં.
ફરજ પરનાં ટ્રસ્ટનાં કમૅચારી, પોલીસ, એસ.આર.પી.ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતાં રહીને જ આરતીમાં દર્શન કરવાનાં રહેશે. ચાલું આરતીએ કોઈપણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શક્શે નહીં. દર્શનાર્થે આવતાં યાત્રિકોએ કોવિડની ગાઈડ લાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. એન્ટ્રી ગેટ પરથી ટેમ્પ્રેચર મશીનમાં ટેમ્પ્રેચર ચેક કરાવવાનું રહેશે તેમજ હેન્ડ સેનીટાઈઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે.
દર્શન માટેનાં પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. તેમજ કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી કાળજી કરવાની રહેશે. તેમજ ફરજ પરના પોલીસ એસ.આર.પી., સિક્યોરીટી સ્ટાફ તેમજ મંદિરનાં સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપી દર્શન માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રમાણે જ દર્શન કરવાના રહેશે.
એવું જનરલ મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
#gujaratnivacha
🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩


Comments
Post a Comment