રાજપીપળા ખાતે નદી-તળાવની સફાઈ, પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
રાજપીપળા ખાતે નદી-તળાવની સફાઈ, પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ યોજાયો
તસવીર-અહેવાલ:જ્યોતિ જગતાપ
રાજપીપળા: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજપીપળા ખાતે નદી તળાવની સફાઈ તથા પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાજપીપળા ખાતે સરકારી ઓવારે એસટી ડેપોની પાછળ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રાજપીપળા શહેરનાં ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખશ્રી રમણ સિંહ રાઠોડ તથા મહામંત્રી રાજેન્દ્ર પટેલ તથા ઉત્કર્ષ પંડ્યા તથા રાજપીપળા શહેરનાં કાર્યકરો તથા નગરપાલિકાનાં હોદ્દેદારો હાજર રહ્યાં હતાં અને સફાઈ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરી નગરને સ્વચ્છ રાખવાનો મેસેજ આપ્યો હતો.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳





Comments
Post a Comment