નસવાડીના ખમીરવંતા શિક્ષકો : ડુંગરા - કાદવ ખુંદીને આદિવાસી બાળકોને રોજ ભણાવવા જાય છે, કાચા રસ્તા પર જીવનાં જોખમે પણ ફરજ નિભાવે છે

નસવાડીના ખમીરવંતા શિક્ષકો : ડુંગરા - કાદવ ખુંદીને આદિવાસી બાળકોને રોજ ભણાવવા જાય છે, કાચા રસ્તા પર જીવનાં જોખમે પણ ફરજ નિભાવે છે

🔶બારે માસ શિક્ષક તરીકેની ફરજ ખુશી ખુશી નિભાવી રહ્યાં છે નસવાડીના શિક્ષકો


✍️ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર. 

  નસવાડીનો ડુંગર વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે. પરંતુ બીજી બાજુ તાલુકાનાં ડુંગર વિસ્તારનાં કાચા રસ્તા આઝાદીનાં વર્ષો બાદ પણ હજુ પાકા બન્યાં નથી. આવા કાચા - બિસ્માર રસ્તે થઇને પણ તા.ના શિક્ષકો આદિવાસી બાળકોને ભણાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે. જ્યાં સુધી બાઈક જાય ત્યાં સુધી શિક્ષકો જાય અને પછી પગપાળા જઈ તેમને અભ્યાસ કરાવે છે. 

  નસવાડી તાલુકાનાં ગનીયા બારા, સાંકડી બારી, મેંદા, કુપ્પા, છોટીઉંમર, ખોખરા, વાડિયા વગેરે ગામની શાળાનાં શિક્ષકોએ બારે માસ કાચા રસ્તાનું દુઃખ ભોગવીને પણ આદિવાસી બાળકોને શિક્ષણની પ્રવૃત્તિમાં જોડી રાખ્યા છે. કોરોના નાં લીધે શિક્ષકો શાળામાં શિક્ષણ કાર્ય નથી કરાવતાં પરંતુ આ રીતે તેઓને શેરી શિક્ષણ આપી રહ્યાં છે. ડુંગર વિસ્તારમાં રહેતાં આ બાળકોને દરેક ઋતુમાં મુશ્કેલીઓ ભોગવીને પણ શિક્ષકો અભ્યાસ કરાવવા જાય છે . જેથી વાલીઓ પણ ખુશ છે. કાચા રસ્તા પર અવર જવર કરવી એ જોખમ સમાન છે. વાડિયા, ખેંદા આ બે શાળામાં તો મહિલા શિક્ષક છે. છતાંય તેઓ આદિવાસી બાળકોને પગપાળા જઈ શિક્ષણ આપે છે.


  સાકડી બારી ગામે આઝાદીના વર્ષો બાદ પણ હજુ પાકા રસ્તા નથી. ચોમાસામાં અહીંનાં કોતરમાં ભારે પાણી હોય છે. ત્યારે પણ હેરાન થવાં છતાં બાળકોને શિક્ષણ આપવાની ફરજ નહીં ચૂક્તા આ શિક્ષકો "શિક્ષક કભી સાધારણ નહીં હોતા" વાતને યથાર્થ ઠેરવી રહ્યાં છે.


આદિવાસી બાળકોને અભ્યાસ કરાવવાં માટે 12 શિક્ષકો નિયમિતપણે જાય છે


 રસ્તા નથી. ડુંગર વિસ્તારોમાં આદિવાસી બાળકોને અભ્યાસ કરવા 12 શિક્ષકો નિયમિત જાય છે. મારા એક શિક્ષક સાથે જ સગપણ થયા છે. ડુંગર વિસ્તારમાં અમો બંને સાથે આવીએ છીએ. સાંકળનો ઢાળ ઉતર્યા બાદ ઉત્તર દિશામાં આવેલ ગનિયાયાબરી ગામે સાડા ત્રણ કિમી ડુંગરના પથરાળ રસ્તા પરથી પગપાળા ચાલીને એ સ્કૂલ પર પહોંચે છે. હું ખેંદા શાળા ગામે પગપાળા 2 કિમી ચાલીને જાવ છું. આદિવાસી બાળકોને ભણાવીને અમે ખુશ છીએ . - હિનાબેન સુતરિયા, શાળા ખુંદા


  બાળકોને ભણાવવાનો મોકો મળ્યો છે, હું ખુશ છું મારી શહેરી વિસ્તારમાંથી બદલી થઈ અને હું નસવાડીના ડુંગર વિસ્તારમાં આવ્યો હતો. પહેલાં તો મને અજુગતું લાગ્યું. આ વિસ્તારનાં લોકોની ભાષા અલગ છે. હું સમજી શકતો ન હતો. પરંતુ અહીંની સ્થિતિ જોઈ લગાવ થઈ ગયો અને અહીંની ભાષા સમજતો થયો. આજે મને સંતોષ છે કે જે વિસ્તારમાં આવવું કઠિન ભલે હોય પણ બાળકોને શિક્ષણ આપવાનો જે મોકો મળ્યો છે તેનાથી હું ખુશ છું. - જીતેન્દ્ર પરમાર, શિક્ષક, કુપ્પા શાળા.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ