જૂનાગઢના આ બાળકે વડીલોની સેવા માટે અનોખો સંકલ્પ કરી તેને પરિપૂર્ણ કર્યો

જૂનાગઢના આ બાળકે વડીલોની સેવા માટે અનોખો સંકલ્પ કરી તેને પરિપૂર્ણ કર્યો
 

✍️ નરેન્દ્રભાઈ દવે

જૂનાગઢ: "સેવા પરમો ધર્મ" આ સૂત્રને પોતાના જીવનમાં ઉતારતાં તમે અનેક આદર્શ વ્યક્તિઓને જોયા હશે! પણ નાની ઉંમરથી જ જે તે વ્યક્તિનો હાથ સેવા તરફ વળે એવાં બહુ ઓછા દાખલા હશે! ત્યારે આજે એક એવા જ બાળક વિશે અને તેમના સેવાકાર્ય (Social work) વિશે વાત કરીશુંજે તમારા સૌ માટે અવશ્યથી પ્રેરણારૂપ બનશે.

ડીઆઈજીપી ઓફીસ (DIGP) -જૂનાગઢ ખાતે ફરજ બજાવતા મનિષાબેન ભરાડ તથા તેમના પુત્ર મૌલિક અવારનવાર ખાસ તહેવારોવર્ષગાંઠ વગેરે દિવસોની ઉજવણી 'અપનાઘર વૃદ્ધાશ્રમ'ના વડીલો સાથે કરતા હોય છે. આ વર્ષે ગણપતિ ઉત્સવ વખતે મૌલિકએ સંકલ્પ કરેલ કેગણપતિ ઉત્સવ પૂર્ણ થયા બાદ ગણપતિ બાપા પાસે એકઠી થયેલ તમામ રકમ અપના ઘરના વડીલો સાથે ઉજવણી કરવામાં વાપરવી. મૌલિકને આવેલ આ વિચારને તેમની માતાએ વધાવી લીધો અને એ વિચારમાં એક નવીન પ્રયોગ પણ ઉમેર્યો.

મૌલિક પોતે અવાર-નવાર અપનાઘર જતો હોય છેત્યારે અપનાઘરના વડીલો પણ મૌલિક પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા હોવાથી પોતાના મિત્ર સર્કલને પણ તેમની સાથે આવવા જણાવ્યુંત્યારે તેમના મિત્રોમાં નમનઅક્ષરપરીક્ષિતઅંજલિવિશ્વાનેહલ સર્વે પણ આ કાર્યમાં જોડાયા. તમામ મિત્રો પોતાના વાલી સાથે અપનાઘર વૃદ્ધાશ્રમ ખાતે હાજર રહ્યાં. ચોમાસાના સમયના વડીલો સાથે ગરમાગરમ નાસ્તો કર્યો અને બધા અંત્યવાસીઓ સાથે સમય વીતાવીને બહુ બધા આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"