સોમનાથ મહાદેવનાં દર્શન કરી ગુજરાતની કલ્યાણ સુખાકારી માટે પ્રાર્થનાં કરતાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
✍️ નરેન્દ્રભાઈ દવે
ગીર-સોમનાથ: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શન પૂજા અર્ચના કરી ગુજરાતનાં કલ્યાણ અને આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થનાં કરી હતી. ગૃહ મંત્રીશ્રીએ તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવની મહાપુજા અભિષેક અને ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
પુજા વિધી બાદ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પી.કે. લહેરી અને સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી ગૃહમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
______________________________________
ગૃહમંત્રીશ્રીએ અધિકારીઓ/પદાધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રીશ્રીએ સાગરદર્શન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ ગૃહમંત્રીશ્રીની સાથે પુર્વ મંત્રીશ્રી જશાભાઈ બારડ, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, પુર્વ બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઈ પરમાર, શ્રી કે.સી.રાઠોડ, જૂનાગઢનાં રેન્જ આઇ.જી. મનીન્દર સિંઘ પવાર, જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રીપાઠીએ પણ વૃક્ષારોપણ કરી સહભાગી થયાં હતાં. ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments
Post a Comment