કોરોનાકાળમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય અપાશે

કોરોનાકાળમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય અપાશે
પ્રતિકાત્મક તસવીર


 🔸મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા અનુરોધ

  

 ભરૂચઃ કોરોના કાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય આપતી “મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના” અમલમાં છે. કોરોના કાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં એક વાલી(માતા કે પિતા) ગુમાવનાર બાળકોને પણ સરકારશ્રી દ્વારા સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજનાઓ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જુની કલેક્ટર કચેરી, કણબીવગા ભરૂચનો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

મનિષ કંસારા, ભરૂચ.

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ