નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને હસ્તે થનાર ઉદ્ઘાટન
🔸કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયા નાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ
ભરૂચઃ તા.૧૨ મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ અંદાજે ૪૦૦ કરોડથી વધુ ખર્ચથી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ”નું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થનાર છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયા નાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીનાં સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટર શ્રીએ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે જોવા સૂચન કર્યું હતું. નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રી એન.આર. પ્રજાપતિ, માર્ગ-મકાનના અધિકારીશ્રી અનિલ વસાવા, ટ્રેની પોલીસ અધિકારી વિગેરે ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: મનિષ કંસારા, ભરૂચ
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


👌👌👌
ReplyDelete